Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં સેલારવાડ ખાતે આસ્થા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને નોટબુકનું  વિતરણ કરાયું.

Share

અંકલેશ્વરના સેલારવાડ વિસ્તારમાં ઇદે મિલાદુન્નબીના તહેવાર નિમિતે આસ્થા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

અંકલેશ્વર સેલારવાડ વિસ્તારમાં આસ્થા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ગરીબ વિદ્યાર્થીઓને ભણવામાં મુશ્કેલી ના સર્જાય તે હેતુસર નોટબુકોનું વિતરણ કરવામાં આવે છે ત્યારે  ઇદે મિલાદુન્નબીના તહેવારના અવસરે  વિદ્યાર્થીઓને  નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આસ્થા એજ્યુકેશનના ટ્રસ્ટનાં આયોજકો દ્વારા સરકારની ગાઇડલાઇન મુજબ સાદગીપૂર્વક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંસ્થા દ્વારા બાળકો અભ્યાસ ક્ષેત્રે આગળ વધે તે માટે  ભણતર અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સૈયદ અંજુમ બાવા, નગર પાલિકાના પ્રમુખ વિનય વસાવા, સૈયદ અનીશ બાવા, સૈયદ સાકીર સાકીર અલી, સહીતના આગેવાનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

દિલ્હીમાંથી પાકિસ્તાની આતંકવાદી ઝડપાયો : AK-47 અને હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા

ProudOfGujarat

ખેડા જિલ્લાના ત્રાજ અને કોશિયલ ગામમાં વીજ પુરવઠો ખોરવાઈ જવાથી ગ્રામજનો એ વીજ કંપનીની કચેરીએ હલ્લાબોલ કર્યો

ProudOfGujarat

ભરૂચ : વાલિયાનાં ચંદેરીયા ગામે ડેડીયાપાડાનાં ધારાસભ્ય દ્વારા માતાની યાદમાં ૧૯ એકર જમીનમાં વિદ્યાલય બનાવાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!