Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં રામકુંડ મંદિર ખાતે સત્યમેવ જયતે ગ્રુપ દ્વારા ધાબળા વિતરણ કરાયા.

Share

દીપોત્સવી પર્વ નિમિત્તે ભરૂચ તેમજ આસપાસની સામાજિક સંસ્થાઓ દ્વારા ક્યાંને ક્યાંક ભોજન સેવા તો ક્યાંક ધાબળા વિતરણ કરવામાં આવે છે, આજે દિવાળીના પર્વ નિમિત્તે અંકલેશ્વરના રામકુંડ મંદિર ખાતે સત્યમેવ જયતે ગ્રુપ દ્વારા પરિક્રમા વાસીઓને ધાબળાનું વિતરણ કરાયું હતું.

આ તકે સત્યમેવ જયતે ગ્રુપના આગેવાન ક્રિષ્ના મોરિયાએ જણાવ્યું હતું કે આ એક સેવાભાવી કાર્ય છે સમાજનો એક એવો વર્ગ કે જે તહેવારો નિમિત્તે પોતાની જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ પણ ખરીદી શકતા નથી તો આજે અમોએ અંકલેશ્વરના રામકુંડ મંદિર ખાતે પરિક્રમા વાસીઓને ધાબળાનું વિતરણ કરી અને અમારી આ સેવામાં અન્ય લોકો પણ સહભાગી થાય અને આગળ આવે તેવી અપીલ કરીએ છીએ. આ ધાબળા વિતરણમાં ગ્રુપના આગેવાન ક્રિષ્ના મોરિયા અને રિતેશ રાણા સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

અમદાવાદથી કોચી જતી ગો એરની ફ્લાઇટ રદ-કોચીમાં ખરાબ વાતાવરણના કારણે લેવાયો નિર્ણય…..

ProudOfGujarat

તવરા રોડ ઉપર મોટર સાયકલ સ્લીપ ખાઈ જતા ચાલક નું ઘટના સ્થળે જ મોત…

ProudOfGujarat

રાજકોટ મનપા દ્વારા ૮ જેટલા વોર્ડમાં પાણી કાપ-જાણો વધુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!