Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

અંકલેશ્વર તાલુકાના રવિદ્રા ગામમાં નજીવા મુદ્દે માથાભારે તત્વોએ આદિવાસી યુવાનોને મારમારતા ચાર ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે

Share

અંકલેશ્વર તાલુકાના રવિદ્રા ગામમાં નજીવા મુદ્દે માથાભારે તત્વોએ આદિવાસી યુવાનોને મારમારતા ચાર ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે

પ્રાપ્ત માહિતી અનુસાર અંક્લેશ્વર તાલુકાના રવિદ્રા ગામની નવી નગરીમાં રહેતા ૩૨ વર્ષીય નરેશ કાંતિભાઈ વસાવા અને તેના બનેવી શૈલેશ રામદાસભાઈ વસાવા ગતરોજ સાંજના સમયે ગામમાં આવેલ મહાદેવ મંદિર પાસેના તળાવ નજીક મુકલે બાકડા પર બેઠા હતા તે દરમિયાન ગામના જ જાબીર ગુલામ પટેલ,મહમદ ગુલામ પટેલ અને સિકંદર પટેલ સહીત ચાર ઇસમોએ ભેગા મળી બાકડા પર બેસવા મુદ્દે જાતિ વિષયક અપશબ્દો ઉચ્ચારી આવેશમાં આવી ગયેલા ચારેય ઇસમોએ લાકડા અને ચપ્પુ વડે હુમલો કરી બંને આદિવાસી યુવાનોને ઢીકાપાટુનો મારમારી ઈજા પહોંચાડી ફરાર થઇ ગયા હતા બનાવ અંગે ઈજાગ્રસ્ત યુવાને અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ચારેય ઈસમો વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Advertisement

Share

Related posts

વૈશ્વિક રોકાણ દ્વારા વધુ વૈવિધ્યકરણ…

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં લોકડાઉન 3 નો અમલ કરવા જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડયું.

ProudOfGujarat

વડોદરા એક્સપ્રેસ-વે પર ટ્રકમાં સફેદ પાવડરની આડમાં દારૂની હેરાફેરી, 38 લાખનો દારૂ ઝડપાયો, બે ની ધરપકડ, બે વોન્ટેડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!