Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના પીરામણ ગામ ખાતે પરપ્રાંતીય પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર.

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરનાં પીરામણ ગામ ખાતે ભાડાના મકાનમાં રહેતી એક ૨૦ વર્ષીય પરિણિત મહિલાએ પોતાના મકાનના રૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ખળભળાટ મચ્યો હતો, નેહા અંકિત યાદવ નામની ૨૦ વર્ષીય પરિણીત મહિલા તેના પતિ સાથે અંકલેશ્વર ખાતે રહેતી હતી, જે દરમિયાન પતિ સાથે પિયરે જવા જેવી નજીવી બાબતે ઝઘડો થતા આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે.

મૂળ યુ.પી અને હાલ અંકલેશ્વર ખાતે પીરામણ ખાતે રહેતી નેહા યાદવ દ્વારા મકાનમાં ગળેફાંસો ખાધેલ હાલતમાં મૃતદેહ મળતા મામલે અંકલેશ્વર શહેર પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસે મૃતકની લાશનો કબ્જો લઇ તેની લાશને પી. એમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી મામલે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

Share

Related posts

ગોધરામાં લોકડાઉનની અસર નહિવત : શહેરા ભાગોળ રેલ્વે ફાટક પાસે શાક માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સીંગનાં ધજાગરા.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકા પ.વ.ડી વિભાગની નિષ્કાળજીના પાપે શહેરનો વિકાસ અવરોધાયો..?

ProudOfGujarat

ભરૂચ : કોવિડ હોસ્પિટલમાં આગનાં બનાવની ગુજરાત હાઈકોર્ટે નોંધ લીધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!