Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના પીરામણ ગામ ખાતે પરપ્રાંતીય પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર.

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરનાં પીરામણ ગામ ખાતે ભાડાના મકાનમાં રહેતી એક ૨૦ વર્ષીય પરિણિત મહિલાએ પોતાના મકાનના રૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ખળભળાટ મચ્યો હતો, નેહા અંકિત યાદવ નામની ૨૦ વર્ષીય પરિણીત મહિલા તેના પતિ સાથે અંકલેશ્વર ખાતે રહેતી હતી, જે દરમિયાન પતિ સાથે પિયરે જવા જેવી નજીવી બાબતે ઝઘડો થતા આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે.

મૂળ યુ.પી અને હાલ અંકલેશ્વર ખાતે પીરામણ ખાતે રહેતી નેહા યાદવ દ્વારા મકાનમાં ગળેફાંસો ખાધેલ હાલતમાં મૃતદેહ મળતા મામલે અંકલેશ્વર શહેર પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસે મૃતકની લાશનો કબ્જો લઇ તેની લાશને પી. એમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી મામલે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ ના પુષ્પા બાગ પાસે શેઠ ફળીયા માં ગેસ ના બોટલ માં લીક થતા સ્થાનિકો માં ભય નો મોહલ સર્જાયો..ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી સ્થિતિ પર કાબુ મેળવ્યો સદનસીબે કોઇ જાનહાનિ નહિ….

ProudOfGujarat

શું તમે જાણો છો કે ડૉક્ટર સાગર પણ બલિયા શહેરના છે!! જ્યાં મંગલ પાંડે અને ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરનો જન્મ થયો હતો!!

ProudOfGujarat

ભરૂચ એ.પી.એમ.સી માં ભર વરસાદે આગનું તાંડવ કુલ ૧૦ જેટલી દુકાનોમાં અગમ્ય કારણોસર આગ પ્રસરી,આગ લાગવાનું કારણ અંક બંધ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!