Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરમાં તસ્કરોનો આતંક યથાવત, નવા બોરભાઠા ગામના પટેલ ફળીયા વિસ્તારમાં બંધ મકાનને નિશાન બનાવી હજારોની ચોરીની ઘટનાને અપાયો અંજામ..!

Share

અંકલેશ્વર પંથકમાં છેલ્લા ઘણા સમયથી તસ્કરોનો આતંક જોવા મળી રહ્યો છે, અંકલેશ્વર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં એક બાદ એક ચોરીની ઘટનાઓને તસ્કરો અંજામ આપી રહ્યા છે, તેવામાં વધુ એક ઘટના સામે આવી છે, અંકલેશ્વરના નવા બોરભાઠા વિસ્તારમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપતા ભારે ખળભળાટ મચ્યો હતો.

અંકલેશ્વરના નવા બોરભાઠા વિસ્તારમાં આવેલ પટેલ ફળિયામાં બંધ મકાનના નકુચો તોડી તસ્કરોએ મકાનમાં પ્રવેશ કરી કબાટમાં રહેલ સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમ મળી ૬૪ હજાર ઉપરાંતની ચોરીની ઘટનાને અંજામ આપતા ભારે ખળભળાટ મચ્યો છે, ચોરીની ઘટના અંગેની જાણ અંકલેશ્વર શહેર પોલીસ મથકે થતા પોલીસે સ્થળ પર પહોંચી જઈ અજાણ્યા તસ્કરો સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

હારુન પટેલ

Advertisement

Share

Related posts

નેત્રંગમાં બંધ પડેલ રેલ્વે લાઈનની હદમાં થયેલ ગેરકાયદેસરના દબાણો હટાવવાની ચહલપહલને લઇ સ્થાનિક રહીશોમાં ચિંતાનો માહોલ.

ProudOfGujarat

માંગરોળ : શ્રી એન. ડી.દેસાઈ હાઈસ્કૂલનું ધોરણ 12 નું પરિણામ 79.69% ટકા આવ્યું.

ProudOfGujarat

પરીશ્રમ ફાર્મ એન્ડ નર્સરી મોરીયાણામાં રોટવિલર પાળેલ કૂતરાનું દીપડાએ કર્યું મારણ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!