Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ઉછાલી ગામની સીમમાં અમરાવતી નદીમાં થયેલ માછલીઓના મોત મામલે જીપીસીબીએ ફરિયાદ આપી તપાસ શરૂ કરી

Share

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીકથી પસાર થતી અમરાવતી નદીમાં અવારનવાર જળચર પ્રાણીઓના મોત સામે આવતા હોય છે, નદીમાં કેમિકલ યુક્ત પાણી ભરી જતા આ પ્રકારની ઘટનાઓનું નિર્માણ થતું હોય છે, તાજેતરમાં જ વધુ એક ઘટના પ્રકાશમાં આવી હતી, જ્યાં ઉછાલી ગામ પાસે અમરાવતી નદીમાં અનેક માછલીઓના મોત નીપજ્યા હતા.

જે ઘટના ક્રમ બાદ સ્થાનિક પકૃતિ પ્રેમીઓએ મામલે જીપીસીબી અધિકારી વિજય કુમાર રાખોલીયાને કરવામાં આવી હતી, મામલે જીપીસીબી અધિકારીએ ગંભીરતા દાખવી તપાસના ધમધમાટ શરૂ કર્યા હતા, તેમજ નદીના જળને પ્રદુષિત કરનારા અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘડિયા અને અંકલેશ્વર જીઆઈડીસી નજીકથી અમરાવતી નદી વહે છે જેમાં અનેક જળચર રહેલા છે તેમજ આ નદીનું જળ પશુ પક્ષીઓ પણ પીવે છે ત્યારે અવારનવાર નદીના જળને પ્રદુષિત કરનારા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.


Share

Related posts

અમદાવાદના નેક્સસ વન મોલ દ્વારા તમામ Nexus મોલ્સના ગ્રાહકો માટે વિશેષ ડીલ્સ અને ડિસ્કાઉન્ટનો પ્રારંભ

ProudOfGujarat

ભરૂચ જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે કર્મીઓએ તેઓ ની પડતર માંગણીઓને લઇ વિરોધ પ્રદર્શન કર્યું હતું…….

ProudOfGujarat

વાંકલ : ઉમરપાડાનાં ખેડૂતને ૨ ગુણ ખાતર આપી ફોનમાં ૮ ગુણનો મેસેજ મળતા મામલતદારને રજૂઆત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!