Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ઉછાલી ગામની સીમમાં અમરાવતી નદીમાં થયેલ માછલીઓના મોત મામલે જીપીસીબીએ ફરિયાદ આપી તપાસ શરૂ કરી

Share

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીકથી પસાર થતી અમરાવતી નદીમાં અવારનવાર જળચર પ્રાણીઓના મોત સામે આવતા હોય છે, નદીમાં કેમિકલ યુક્ત પાણી ભરી જતા આ પ્રકારની ઘટનાઓનું નિર્માણ થતું હોય છે, તાજેતરમાં જ વધુ એક ઘટના પ્રકાશમાં આવી હતી, જ્યાં ઉછાલી ગામ પાસે અમરાવતી નદીમાં અનેક માછલીઓના મોત નીપજ્યા હતા.

જે ઘટના ક્રમ બાદ સ્થાનિક પકૃતિ પ્રેમીઓએ મામલે જીપીસીબી અધિકારી વિજય કુમાર રાખોલીયાને કરવામાં આવી હતી, મામલે જીપીસીબી અધિકારીએ ગંભીરતા દાખવી તપાસના ધમધમાટ શરૂ કર્યા હતા, તેમજ નદીના જળને પ્રદુષિત કરનારા અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘડિયા અને અંકલેશ્વર જીઆઈડીસી નજીકથી અમરાવતી નદી વહે છે જેમાં અનેક જળચર રહેલા છે તેમજ આ નદીનું જળ પશુ પક્ષીઓ પણ પીવે છે ત્યારે અવારનવાર નદીના જળને પ્રદુષિત કરનારા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.


Share

Related posts

ખેડા જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : એક્ટીવાની ડીકીમાંથી રોકડાં રૂપિયા તથા મોબાઇલ ફોનની ચોરી કરતા ઇસમને ઝડપી પાડતી એ ડીવીઝન પોલીસ.

ProudOfGujarat

ભરૂચ મનુબર ચોકડી પર થી ૧૫ લાખ ના કોંક્રીટ પંપ ની ચોરી સંદર્ભ માં બે પરપ્રાંતીય ઇશ્મો ને શહેર બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!