Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર તાલુકાના જુના દિવાનાં માર્ગ પર વચ્ચોવચ જોખમી વિજપોલ હોવાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

Share

અંકલેશ્વરને અડીને આવેલ દિવા ગામ તરફ જવાના માર્ગ ઉપર માર્ગની વચ્ચોવચ્ચ એક વીજપોલથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. રોડ નિર્માણની કામગીરી બાદ આ વીજ પોલ રોડ વચ્ચે આવી જતા તેને ખસેડવાની યોજના હતી પરંતુ વીજ કંપની અને PWD વિભાગ વચ્ચે સંકલનના અભાવને કારણે આજે આ વીજપોલ લોકોમાં અકસ્માતનો ભય ઉભો કરી રહ્યો છે અને ભારોભાર અકસ્માત સર્જાય તેવી વકી છે. રાત્રે આ માર્ગ ઉપર અવરજવર કરનારા લોકો માટે તો આ વીજપોલ ગમે ત્યારે પ્રાણઘાતક નીવડી શકે તેમ છે. આમ છતાંય જવાબદાર તંત્રના પેટનું પાણી પણ હાલતું નથી. જે તે સમયે આ માર્ગનું નિર્માણ કરનાર કોન્ટ્રાકટર અને જીઇબીના સંકલનના અભાવે વીજ પોલ લોકો માટે જોખમી બની રહ્યો છે. વીજ વાયર નીચા હોવાથી લોકોને કરંટ લાગવાનો ભય, સમસ્યાનો વહેલી તકે ઉકેલ આવે તેવી સ્થાનિકોની માંગ કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

સુરતની વિનસ હોસ્પિટલમાં મિલિઓઇડોસિસ નામના રોગના બેકટેરિયા એક દર્દીના પરુમાંથી શોધી કાઢવામાં આવ્યા.

ProudOfGujarat

પાવીજેતપુરના કલારાણી ખાતે એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજ દ્વારા પ્રજાસત્તાક પર્વ યોજાયો.

ProudOfGujarat

મતદાન જાગૃતિ અર્થે ભરૂચમાં માનવ સાંકળ રેલી યોજાય.વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોડાયા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!