Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : સારંગપુર નજીક આદર્શ નગર સોસાયટીમાં રહેતા પરપ્રાંતીય યુવકે અગમ્ય કારણોસર રૂમમાં ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી.

Share

અંકલેશ્વર તાલુકાના સારંગપુર નજીક આદર્શ નગર સોસાયટીમાં રહેતા પરપ્રાંતીય યુવકે અગમ્ય કારણોસર રૂમમાં ગળે ફાંસો ખાય આત્મહત્યા કરી લેતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. પોલીસ સૂત્રીય માહિતી મુજબ મૂળ યુપીનો અને હાલ અંકલેશ્વરના સારંગપુર નજીક આવેલ આદર્શ નગર સોસાયટીમાં રહેતો 19 વર્ષીય મનીષ કુમાર મુન્નારામ જીઆઇડીસીમાં ખાનગી કંપનીમાં નોકરી કરે છે, ગત તા,9 મીના રોજ તેની સાથે રહેતા બે મિત્રો બહાર જતા તે રૂમમાં એકલો હતો તે દરમ્યાન તેણે કોઈક અગમ્ય કારણોસર રૂમમાં પાઇપ સાથે રૂમાલ વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ અંગેની જાણ તેના બે મિત્રો થતા તેઓએ તાત્કાલિક જીઆઇડીસી પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ દોડી આવી મનીષ કુમાર મુન્નારામના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરતસિંહ સોલંકીએ જ સૂત્ર આપ્યું હતું 2022 કોંગ્રેસ લાવીશ પરંતુ ચૂંટણી પહેલા શોર્ટ બ્રેક લીધો..!!

ProudOfGujarat

છેલ્લા ૧૫ દિવસમાં ત્રીજી આદિવાસી વ્યક્તિ જંગલી દીપડાના આંતકનો ભોગ બની, જંગલ ખાતુ ત્વરિત પગલા ભરે અને લોકોનો ભય દૂર કરે : સંદીપ માંગરોલા

ProudOfGujarat

બાવાગોર દરગાહનાં ઇતિહાસમાં પ્રથમવાર શબેબરાતનાં તહેવારમાં દરગાહમાં શ્રધ્ધાળુઓની ગેરહાજરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!