Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : 17 વર્ષીય સગીરાને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયેલા સુરતના યુવાનને પોલીસે ઝડપી લીધો.

Share

અંકલેશ્વર શહેરમાંથી પ્રેમજાળમાં ફસાવી યુવતીઓને ભગાડી જવાના કિસ્સાઓમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. થોડા દિવસ આગળ પણ એક જ પરિવારની બે દીકરીઓને ભગાડી લઈ જવાની ઘટના અંકલેશ્વર પંથકમાં બની હતી જેમાં પોલીસે ગણતરીના દિવસોમાં જ બંને યુવાનોને ઝડપી લીધા હતા અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા ત્યાં જ અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં 17 વર્ષીય સગીરાને યુવાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી ભગાડી ગયો હોવાની ફરિયાદ દાખલ થવા પામી હતી. જેમાં 17 વર્ષની આ સગીરાને સુરતમાં રહેતો અર્જુન પરમાર નામનો યુવાન પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી સુરત ભગાડીને લઈ ગયો હતો. આ બનાવ સંદર્ભે શહેર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થતા પોલીસે તાત્કાલિક ધોરણે અર્જુન પરમારને સુરતથી ઝડપી લીધો હતો અને તેની સામે સગીરાનું અપહરણ તેમજ જાતીય સતામણી અંગે દાખલ કર્યો હતો. હવે સગીરાનું મેડીકલ ચેકઅપ બાદ તેનો રિપોર્ટ આવ્યા બાદ આગળનો ગુનો દાખલ કરવામાં આવશે. જોકે હાલ તો પોલીસે અર્જુન પરમારની અટક કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચમાં ABVPનો વિરોધ પ્રદર્શન : GCAS પોર્ટલની ખામીઓ સામે વિદ્યાર્થીઓમાં રોષ : એમ.કે. કોલેજ બહાર ધરણા, રાજ્યવ્યાપી આંદોલનની ચેતવણી

ProudOfGujarat

મહારાષ્ટ્રની કટારિયા એગ્રો પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ લાગતાં 3 મજૂરોના મોત

ProudOfGujarat

નેત્રંગ તાલુકા પંચાયત કચેરીમાં CCTV કેમેરા નથી સરકાર ખાનગી તેમજ સરકારી કચેરીઓમાં CCTV નો આગ્રહ રાખે છે તો આ કચેરીમાં કેમ નહિ ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!