Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર તાલુકાનાં નાગલ ગામ પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતાં બાઈક સવાર યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજયું.

Share

અંકલેશ્વર તાલુકાનાં સજોદ નાગલ ગામ વચ્ચે આજે બપોરે અકસ્માત સર્જાયો હતો, આમાં ફોરવ્હીલનો ચાલક પૂર ઝડપે હંકારતા બાઈક લઈને જતો અશોક નટવર વાળત નાઓની બાઇક ધડાકાભેર અથડાતા બાઈક રોડ ઉપર પટકાય હતી અને બાઇકનાં ફુરચે ફુરચા ઉડી ગયા હતા. જોકે રોડ ઉપર પટકાયેલા અશોકભાઈને ગંભીર ઈજા પહોંચતા તેઓનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. જ્યારે ગાડી ચાલક ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં મોતને ભેટનાર વ્યક્તિ અશોકભાઈ સજોદ ગામનાં હોવાનું માલુમ પડયું છે. પોલીસે આ દિશામાં અકસ્માત અંગે ગુનો દાખલ કરી તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

Share

Related posts

વેક્સિન લગાવી ચૂકેલા લોકો પર ડેલ્ટા વેરિયન્ટથી મોતની સંભાવના 99% થી પણ ઓછી : NIV ના રિસર્ચમાં ખુલાસો.

ProudOfGujarat

કિરાણાની દુકાનની આડમાં ગાંજો વેચતો વેપારી ઝબ્બે : અન્ય એક ફરાર

ProudOfGujarat

ભરૂચમાં ઝાડેશ્વર વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!