Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં અમરતપરા ગામ નજીક અમરાવતી ખાડીમાં કેમિકલ યુકત પાણીથી હજારો માછલીઓનાં મોત થવાને મામલે હવે GPCB ની તપાસ પર લોકો નજર કરી બેઠા છે.

Share

અંકલેશ્વરમાં વરસાદ પડતાં જ ફરી કેટલીક કંપનીઓ ફરી ખાડીઓમાં કેમિકલ યુકત પાણી છોડવાનું શરૂ કર્યું છે. અગાઉ આમલા ખાડીમાં પાણી છોડતા કેટલાયે ખેડૂતોની ખેતી નાશ પામી હતી ત્યાં જ હવે અંકલેશ્વરની બીજી ખાડી એવી અમરતપરા ગામ નજીક વહેતી અમરાવતી ખાડીને પ્રદુષિત કરવામાં આવી રહી છે. આજે કેટલીક કંપનીઓ દ્વારા અમરાવતી ખાડીમાં કેમિકલ યુકત પાણી છોડતા અમરાવતી ખાડીમાં અસંખ્ય માછલીઓનાં મોત થયા હતા.

જેને લઈને આ મામલે પર્યાવરણ પ્રેમીઓ દ્વારા GPCB ની ટીમને જાણ કરી છે. GPCB ની ટીમે નમૂના લીધા છે હવે જોવાનું રહ્યું કે કઈ કંપની આ પ્રદૂષણમાં જવાબદાર છે તેની વિગતો GPCB બહાર લાવશે તેની ઉપર સર્વેની નજર છે.

Advertisement

Share

Related posts

ડાકોરમાં VIP દર્શન મામલે હિંદુ સંગઠનોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી

ProudOfGujarat

ભારતીય કંપનીઓ વધુ સારા રિસ્ક હેન્ડલિંગ સાથે વૈશ્વિક પડકારોનો સામનો કરી આગળ વધે છે: આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ કોર્પોરેટ ઈન્ડિયા રિસ્ક ઈન્ડેક્સ 2023

ProudOfGujarat

નર્મદા-સરદાર સરોવર ડેમની સપાટીમાં ઘટાડો-24 કલાકમાં વધુ 10 સે.મી. સપાટીમાં ઘટાડો..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!