Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં આજે વધુ પાંચ જેટલા કોરોના પોઝિટીવનાં કેસ આવ્યા કુલ સંખ્યા 98 પર પહોંચી.

Share

ભરૂચ જીલ્લામાં દિવસે-દિવસે કોરોના વાઇરસથી સંક્રમિત થનારા લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગઇકાલે 9 જેટલા લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનો રિપોર્ટ આવ્યો હતો. જેમાં જંબુસર શહેર અને તાલુકાનાં એક મળી 9 લોકોનો રિપોર્ટ પોઝિટીવ આવતા જ જીલ્લાનાં લોકોમાં હડકંપ મચી ગયો હતો. જયારે જીલ્લામાં આજે વધુ પાંચ લોકો કોરોના વાઇરસથી સંક્રમિત થયા હોવાનો રિપોર્ટ આવ્યો છે. જેમાં જંબુસરમાં વધુ બે લોકોનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જયારે ભરૂચ શહેરમાં ત્રણનાં રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. જેમાં નંદેલાવની બુસા સોસાયટીમાં એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટીવ આવ્યા હતા. જ્યારે ઝાડેશ્વર ગામની સમૃદ્ધિ બંગ્લોઝ અને સ્વપ્ન સૃષ્ટિ સોસાયટીમાં એક એક વ્યક્તિમાં કોરોના પોઝિટીવ આવતા જીલ્લાનું આરોગ્યતંત્ર દોડતું થઈ ગયું હતું. જયારે આજે જીલ્લામાં કુલ પાંચ લોકોનાં રિપોર્ટ પોઝિટીવ આવતા જીલ્લામાં કુલ 98 લોકો સંક્રમિત થયા હોવાનો આંકડો આવ્યો છે. જયારે આમોદનાં આછોદ ગામનાં યુવાનને વડોદરા ગોત્રી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો તે યુવાનનું સારવાર દરમ્યાન મોત થયું હતું. જયારે જીલ્લામાં મૃત્યુ આંક 6 ઉપર પહોંચી ગયો છે.

Advertisement

Share

Related posts

સુરત શહેરનાં અન્ય વિસ્તારોમાં રિક્ષામાં પેસેન્જરને આગળ પાછળ કરી મોબાઈલ ચોરી તથા ઝુંટવી લેતી ટોળકીને મહિધરપુરા પોલીસે ઝડપી પાડી.

ProudOfGujarat

ન્યુઝ 18 ઇન્ડિયા ચેનલનાં એંકર દ્વારા મુસ્લિમ સંત વિષે અભદ્ર ટિપ્પણી કરનારનાં વિરોધમાં આમોદ મામલતદાર અને પોલીસ સ્ટેશનમાં આવેદન પત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

રાજપીપળા : નર્મદામાં ભાજપ સંગઠન હોદ્દેદાર વરણી મુદ્દે સરપંચોને અંધારામાં રખાયા હોવાનો આક્ષેપ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!