Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર : નાણાંની લેવડદેવડ અંગે પુત્રની હત્યા કરતો પિતા.

Share

અંકલેશ્વરની નવી નગરી વિસ્તારમાં નાણાંની લેવડદેવડ કરવાની બાબતે પિતાએ પુત્રની હત્યા કરવાનો બનાવ બન્યો હતો. આ બનાવ અંગે અંકલેશ્વર સિટી પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ હતી. સુશીલાબેન પવારનાં જણાવ્યા અનુસાર નગીન મગન વસાવા સાથે તેના પુત્ર દિનેશ નગીન વસાવાની નાણાંની લેવડદેવડ અંગે રકઝક થઇ હતી. જેના પગલે 74 વર્ષની ઉંમર ધરાવતા નગીન મગન વસાવાએ તેમના 40 વર્ષનાં પુત્ર દિનેશ નગીન વસાવાને પરાઈ વડે કાન, નાક, ગળા પર ગંભીર ઇજા પહોંચાડી હતી જેના પગલે દિનેશ વસાવાને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો અને તેનું સારવાર દરમ્યાન મોત થયું હતું. પોલીસ સૂત્રોનાં જણાવ્યા અનુસાર નગીન વસાવાને પકડી કોરોના અંગેની તપાસ અંગે મોકલવામાં આવ્યા છે. આ બનાવ અંગે વધુ તપાસ સિટી પોલીસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જામનગર મહાનગરપાલિકા ઝોન કક્ષાની સ્પર્ધા યોજાઈ.

ProudOfGujarat

ટંકારાના લજાઈ ગામના બસ સ્ટેન્ડ નજીક બેકાબુ કારની ઠોકરે રાહદારી આધેડનું મોત

ProudOfGujarat

ગાંધીનગર : કલોલના જાસપુર અને સઈજમાં ચાલતા જુગાર ઉપર પોલીસના દરોડા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!