Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં બિસ્માર રસ્તાનાં પગલે ઈંડાનાં વેપારીને થયેલ નુકસાન, જાણો વધુ.

Share

અંકલેશ્વર નગરપાલિકાનાં કથળી ગયેલા કારભારનાં પગલે તેમજ ભારે વરસાદનાં કારણે અંકલેશ્વર પંથકનાં રસ્તા બિસ્માર થઈ ગયા છે. આ બિસ્માર રસ્તાનાં પગલે વેપારીઓને અવારનવાર ખૂબ મોટું નુકસાન થાય છે. આજરોજ નગરપાલિકા કચેરી સામે ઈંડા ભરેલ ટેમ્પોમાંથી ઈંડાની ટ્રે રસ્તામાં પડતા સેંકડો ઈંડા તૂટી ગયા હતા. પરિમાણે વેપારીને ખૂબ મોટું નુકસાન થયુ હતું. આવી જ રીતે વિતેલા દિવસોમાં દૂધ, શાકભાજી તેમજ અન્ય ચીજવસ્તુઓ ભરીને પસાર થતાં વાહનો પણ પલટી ખાઈ ગયા હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે. તેથી અંકલેશ્વરનાં બિસ્માર રસ્તાઓને પગલે વેપારીઓને ભારે નુકસાનનો સામનો કરવો પડે છે જેના કારણે વેપારીઓમાં રોષ ફેલાય ગયો છે.

Advertisement

Share

Related posts

400 જવાનો સાથે અમદાવાદ પોલીસની મેગા રેડ, દારુના અડ્ડા પકડ્યા

ProudOfGujarat

રાજપીપળા : તિલકવાડા ફોરેસ્ટ નાકા પાસેથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો.

ProudOfGujarat

ડેડીયાપાડામાં નરેગાના કામ બાબતે રિસ રાખી લગ્નના વરઘોડામાં એક પર હુમલો કરી મારી નાંખવાની ધમકી આપી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!