Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેરના ગડખોલ પાટિયા નજીક આવેલ નમક ફેક્ટરી પાછળ રહેતી 29 વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટુકાવી લેતા પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ છે.

Share

પ્રાપ્ત મળતી વિગતો અનુસાર અંકલેશ્વરના ગડખોલ પાટિયા નજીક આવેલ નમક ફેક્ટરીની પાછળ રહેતા સપનાબેન વિનોદભાઈ રાજભર ઉંમર વર્ષ 29 નાઓએ અગમ્ય કારણોસર પોતાના મકાનમાં તાળુ બંધ કરીને ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ છે. 29 વર્ષીય યુવતી મુળી યુપીના રહેવાસી છે. આ યુવતીએ કયા કારણોસર આપઘાત કર્યો? તે હાલ જાણી શકાયું નથી. ઘટના અંગેની જાણ શહેર પોલીસને કરાતા શહેર પોલીસે ઘટનાસ્થળે આવી લાશનો કબજો મેળવી લાશને પીએમ અર્થે અંકલેશ્વર સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી વધુ તપાસ આરંભી છે.

Advertisement

Share

Related posts

માંગરોળમાં જન હિત રક્ષક સમિતિએ સમાન સિવિલ કોડ વિરુદ્ધ દેખાવો વિરોધ પ્રદર્શન કર્યું.

ProudOfGujarat

ભરૂચમાં જન શિક્ષણ સંસ્થાન ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “મારી માટી મારો દેશ” સમર્પિત કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

ભરૂચના બજારમાં દશામાંની મૂર્તિઓનું આગમન : આવતીકાલથી વ્રતનો પ્રારંભ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!