Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં ભંગારનાં ગોડાઉનોમાં ભીષણ આગથી અફરાતફરી, ૫ થી વધુ ફાયરની મદદથી આગ પર મેળવાયો કાબુ.

Share

અંકલેશ્વર નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગને અડીને આવેલા ભંગારના 3 થી વધુ ગોડાઉનમાં એકાએક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. 8 થી વધુ ફાયર ફાયટરોએ ભારે જહેમત બાદ આગ પાર કાબુ મેળવ્યો હતો.

ઉદ્યોગ નગરી અંકલેશ્વરમાં છાશવારે આવા બનાવો બને છે ત્યારે ફરી એકવાર અંકલેશ્વરમાં આગનો બનાવ બન્યો હતો. અંકલેશ્વરના અંસાર માર્કેટ નજીક રાષ્ટ્રીય ધોરી માર્ગને અડીને આવેલા ભંગારના ગોડાઉનમાં એકાએક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા એકપછી એક એમ ત્રણ ગોડાઉન આગની ઝપેટમાં આવી ગયા હતા જેના પગલે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. બનાવની જાણ થતાની સાથે જ 8 જેટલા ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પાર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઇ ન હતી.

Advertisement

Share

Related posts

ભરૂચનાં વાતાવરણમાં અચાનક પલટો….તેજ પવનો ફૂંકાયા સાથે વરસાદનું આગમન….

ProudOfGujarat

હાંસોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રજાની લાગણી અને માંગણીને વાંચા આપવા પ્રદેશ પ્રમુખ આદરણીય અમિત ચાવડાની સૂચના અનુસાર હાંસોટ મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ તાલુકાનાં સીતપોણ ગામના જુના ભીલ વાડા ખાતે પતિએ કરી પત્નીની હત્યા…જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!