Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIA

અંકલેશ્વરનાં ઉમરવાડા ગામ ખાતે પત્ની સાથે આડા સબંધનાં વહેમમાં એક વ્યક્તિની હત્યા, પોલીસે કરી આરોપીની ધરપકડ.

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામ ખાતે રહેતા કિશન કાલિદાસ વસાવા નાઓએ તેઓના ગામમાં રહેતા વિરલ નવીનભાઈ વસાવા નાઓ સાથે પોતાની પત્ની સાથે આડા સબંધના વહેમમાં ઝઘડો કર્યો હતો, બંને વચ્ચે ચાલી રહેલ ઝઘડામાં વચ્ચે પડેલ વિરલના પિતા નવીનભાઈ વસાવા નાઓને કિશને લાકડાના પાટિયાનાં સપાટા મારતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

નવીનભાઈ નરસિંહભાઈ વસાવાને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓનું મોત નીપજ્યું હતું, ઘટના અંગેની જાણ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ ૪૫ વર્ષીય નવીનભાઈ વસાવાની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સમગ્ર ઘટનામાં કિશન વસાવા સામે હત્યાનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી છે.

Advertisement

ઉમરવાડા ગામમાં અચાનક બનેલ પ્રથમ મારામારીની ઘટના હત્યા સુધી પહોંચી હતી, તો સાથે જ સમગ્ર ઘટનાક્રમને લઇ ગ્રામજનોમાં પણ ખળભળાટ મચ્યો હતો.


Share

Related posts

ભરૂચની કરોડો રૂપિયાની છેતરપિંડીનો માસ્ટરમાઈન્ડ યતીન શાહ બેંગ્લોર એરપોર્ટ પરથી ઝડપાયો : ખોટા લોન સેન્કશન લેટર અને બનાવટી એફ.ડી. દસ્તાવેજો બનાવી 1.24 કરોડથી વધુની ઠગાઈનો આરોપ : પોલીસથી બચવા મલેશિયા ભાગેલો આરોપી ભારત પરત ફરતા જ દબોચાયો

ProudOfGujarat

રાજપીપળા : ગેરકાયદેસર દેશી હાથ બનાવટની બંદુક સાથે એક ઈસમને ઝડપી પાડતી એસ.ઓ.જી.નર્મદા

ProudOfGujarat

નડિયાદ : નિરીક્ષક સુરભી ગુપ્તા અને કલેક્ટર એ ઈએમએમસી કંટ્રોલ રૂમની મુલાકાત લીધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!