Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર નવા એસ.ટી ડેપો પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત : કાર ચાલક ફરાર…

Share

ભરૂચ શહેરના અંકલેશ્વર વિસ્તારમાં આજરોજ મોટી હોનારત સર્જાઈ હતી જેને પગલે લોકોમાં ચકચાર મચી હતી. અંકલેશ્વર વાલિયા ચોકડી પાસે આવેલ નવા એસ.ટી ડેપો પાસે એક બાઈક અને સ્વીફ્ટ ગાડી વચ્ચે ટક્કર થઈ હતી જેને કારણે કાર ચાલક ગભરાઈ જતા કાર મૂકીને ફરાર થઇ ગયો હતો.

આજરોજ ભરૂચના અંકલેશ્વર વાલિયા ચોકડી પાસે નવા એસ.ટી ડેપો સામે આવેલ રોશન સોસાયટીમાંથી એક બાઈક ચાલક બહાર નીકળી રહ્યો હતો તે સમય દરમિયાન એક સ્વીફ્ટ કાર ચાલાક સ્પીડમાં આવીને બાઈક ચાલકને અડફેટમાં લીધો હતો જેને કારણે બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેણે હોસ્પિટલ અર્થે ખસેડવામાં આવ્યો હતો. એકાએક લોકોમાં હોબાળો થતાં લોકો એકત્ર થવાને કારણે કાર ચાલક ગભરાયને પોતાની ગાડી ત્યાં જ મૂકીને ફરાર થઈ ગયો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ તાલુકામાં અાવેલાં કુકરવાડા ગામ પાસે અેલઅેન્ડટી કંપની દ્વારા રેલવે બ્રીજ બનાવવાની કામગીરી હાથ ધરાઇ છે. દરમિયાન અાજે સવારે અેક શ્રમજીવી બ્રીજ પરથી નીચે પટકાતાં તેનું ગંભીર ઇજાને કારણે મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે ભરૂચ તાલુકા પોલીસે ગુનો નોંધી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

ProudOfGujarat

અંકલેશ્વર ગડખોલ પાટિયા પાસે ૪૦ વર્ષીય યુવકે ટ્રેન સામે આવી આપઘાત કરતા ચકચાર…

ProudOfGujarat

ભરૂચનાં મુખ્ય માર્ગો પર પશુઓનો અડીંગો હોવાના પગલે પશુઓ પકડી પશુ મુકત રસ્તા અભિયાન અર્થે અપાયેલ કોન્ટ્રાકટરનું શું થયું તે અંગે ચાલતી ચર્ચા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!