Proud of Gujarat
UncategorizedFeaturedGujaratINDIA

અંકલેશ્વર : ૧૦૮ ખરોડ એમ્બ્યુલન્સના સ્ટાફ દ્વારા અંસાર માર્કેટ નજીક રહેતા મહિલાને એમ્બ્યુલન્સમાં લઇ જતા રસ્તામાં જ સફળ પ્રસુતિ કરાવી.

Share

આજરોજ તારીખ ૧૯/૬/૨૧ રાત્રે ૦૦:૪૧ કલાકે કોલ મળતાની સાથે ખરોડ ૧૦૮ એમ્બ્યુલન્સ અંસાર માર્કેટ પહોંચતાં રંજુદેવી દીનાનાથ રાવતના સંબધીઓ જણાવેલ કે રંજુદેવીથી ચાલી શકાય તેવી પરિસ્થિતિ નથી ત્યારે ‍૧૦૮ ઇ એમ ટી અક્ષ્યભાઈ અને પાઇલોટ કલ્પેશભાઈ દ્વારા એમ્બ્યુલન્સમાંથી જરૂરી સામાન લઈને તેમનાં ઘરમાં પહોંચીને દુખાવો વધારે હોવાથી ૧૦૮ મા લઇને હોસ્પિટલ તરફ જઇ રહયા હતાં. ત્યારે રસ્તામા ઈ. એમ.ટી. અક્ષ્યભાઇને ડીલીવરીનાં લક્ષણો જણાતા પાયલોટ કલ્પેશભાઈને એમ્બ્યુલન્સ રસ્તાની બાજુમાં રાખવાનું જણાવ્યું ત્યારે ઇએમટી અને પાયલોટ બંને ભેગા મળીને એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવવાની જરૂરીયાત સર્જાઇ હતી. અમદાવાદ ૧૦૮ આોફિસમા બેઠેલા ડોક્ટરની સલાહ લઇને સફળ ડિલિવરી કરાવેલ, રંજુબેનને ટવિન્સ બેબીનો જન્મ થયો હતો.

રંજુબેન ટવીન્સ બેબીના જન્મ થયેલ જાણવા મળતા જ તેમનાં પરિવારમા ખુશીનો મોહોલ જોવા મળ્યો. રંજુબેન અને બાળકને વધુ સારવાર માટે સેવા રૂરલ ઝઘડિયા દવાખાને ખસેડવામાં આવેલ છે. ૧૦૮ એમ્બુલન્સની ટીમ ની કામગીરી હોસ્પિટલના સ્ટાફ તેમજ સગર્ભાના પરિવારજનો તેમજ ૧૦૮ ના મેનેજર અભિષેક ઠાકર અને અશોક મિસ્ત્રીએ ૧૦૮ ના ઇ એમ ટી અક્ષયભાઈ તેમજ પાઇલોટ કલ્પેશભાઈ ઉત્કૃષ્ટ કામગીરી બિરદાવી હતી.

Advertisement

Share

Related posts

ઝઘડીયાના ફિચવાડા ગામે જિલ્લા પંચાયત દ્વારા હેલ્થ કેર મેળો યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે શિક્ષક દિનની ગુરુવંદના સાથે ઉજવણી કરાઈ.

ProudOfGujarat

બરોડા બીએનપી પારિબા મ્યુચ્યુઅલ ફંડે બરોડા બીએનપી પારિબા સ્મોલ કેપ ફંડ લોન્ચ કર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!