Proud of Gujarat
INDIAFeaturedGujarat

અંકલેશ્વર- ટ્રેનની અડફેટમાં આવી જતા એક યુવાનનું કમકમાટીભર્યું મોત નીપજ્યું.

Share

આજરોજ અંકલેશ્વરના પિરામણ ગામ ખાતે એક શખ્સ રેલ્વે ટ્રેક પસાર કરી રહ્યો હતો તે સમયે પૂર ઝડપે આવી રહેલ ટ્રેનની અડફેટમાં આવતાં યુવાનનું મોત નીપજયું હતું.

મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના પિરામણ ગામ વિસ્તારમાં રહેતા વિજયભાઈ કાનજીભાઈ વસાવા ઉમર વર્ષ ૩૦ ની આજરોજ સવારના સમયે અંકલેશ્વર પિરામણ ગામ પાસે આવેલ રેલવે ટ્રેક પસાર કરતા હોય તે દરમિયાન તેમનું ધ્યાન ન રહ્યું હતું કે ટ્રેન પૂર ઝડપે આવી રહી છે જેથી યુવાન વિજયભાઈ વસાવાનું ટ્રેન સાથે અથડાતાં તેમનું કમાટીભર્યુ મોત નિપજયું હતું, જેથી ઘટનાની જાણ થતાં જ તેમના પરિવારજનોમાં હાડકંપ મચી જવા પામ્યો હતો અને મૃતકના પરિવારે અંકલેશ્વર રેલવે પોલીસ સ્થળ ઉપર પહોંચી ફરિયાદ નોંધાવી હતી. પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી મૃતકની ડેથ બોડીનો કબજો મેળવી અંકલેશ્વર સરકારી હોસ્પિટલ ખાતે પી.એમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ટ્રક અકસ્માત: ક્લિનરનું મોત, ડ્રાઈવર સામે ગુનો નોંધાયો

ProudOfGujarat

ભરૂચ દૂધધારા ડેરી દ્વારા પૂર અસરગ્રસ્ત તવરા ગામના પશુપાલકોને પશુદાણનું વિતરણ કરાયું

ProudOfGujarat

સુરતના વેસુ સ્થિત ભગવાન મહાવીર કોલેજમાં ટ્રસ્ટીઓની ઓફિસને નિશાન બનાવી ત્રણ ચોર રોકડા રૂપિયા ૫૦ લાખની ચોરી કરી ભાગી છૂટતા શહેર પોલીસની નાઈટ પેટ્રોલિંગની પોલ ખૂલી જવા પામી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!