Proud of Gujarat
FeaturedGujaratINDIA

અરવલ્લી : ભિલોડાના મોહનપુર પાસે અકસ્માતમાં 6 લોકો ઇજાગ્રસ્ત

Share

ઉત્તરાયણ એટલે ભારે દિવસો એવી માન્યતા વર્ષોથી રહેલી છે. આ ભારે દિવસોમાં વાહન ચાલકો અને તમામ લોકોએ સાવચેતી રાખવી પડતી હોય છે. ત્યારે ઉત્તરાયણનો તહેવાર મનાવવા આવેલા ભિલોડાના પરીવારને અકસ્માત નડ્યો હતો.

ભિલોડાનો પરિવાર ઉત્તરાયણનો તહેવાર મનાવી પરત અમદાવાદ જવા ઇકો કારમાં નીકળ્યો હતો. ત્યારે મોહનપુર ગામ પાસે સામેથી આવતી અન્ય એક કાર સાથે ધડાકાભેર ટકરાઈને પલટી ગઈ હતી. જેથી કારમાં સવાર 6 લોકોને ઇજાઓ થઈ હતી. અકસ્માત થતા આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કારમાંથી તમામને બહાર કાઢી ભિલોડા કોટેજ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા. સામેની કાર ચાલકને પણ સામાન્ય ઇજાઓ થઈ હતી. સમગ્ર ઘટનાને પગલે ભિલોડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર વિસ્તારમાં આવેલી સુરૂચી હોટલ સીલ કરાઈ…

ProudOfGujarat

દિલ્હીના કર્તવ્ય પથ પર ગુજરાતની ”ક્લિન-ગ્રીન ઊર્જાયુક્ત ગુજરાત” વિષય આધારિત સાંસ્કૃતિક ઝાંખીએ ગ્રાન્ડ રિહર્સલમાં આકર્ષણ જમાવ્યું

ProudOfGujarat

ભરૂચમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી : શહેરીજનોમાં ઠંડકનો અનુભવ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!