Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના સાયકલીસ્ટ રાજેશ્વર ‌એ રાવે ભરૂચથી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અમદાવાદ સુધી સાયકલિંગ કરી દર્શન કર્યા.

Share

ભરૂચથી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અમદાવાદ સુધી ૨૪૨ કીમી સાયકલિંગ કરી માત્ર ૧૦ કલાક ૪૪ મીનીટમાં પુર્ણ કરી વિશાળ પ્રમુખ સ્વામીનગરની લ્હાવો મેળવ્યો. ભરૂચના સાયકલીસ્ટ રાજેશ્વર ‌એન. રાવેએ ભરૂચથી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અમદાવાદ સુધી ૨૪૨ કીમી સાયકલિંગ કરી માત્ર ૧૦ કલાક ૪૪ મીનીટમાં પુર્ણ કરી હતી. સમગ્ર વિશ્વમા હરિભક્તો માટે આકર્ષણનુ કેન્દ્ર એવા પૂજનીય પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ માટે નવનિર્મિત વિશાળ પ્રમુખ સ્વામીનગરની લ્હાવો મળ્યો. સુંદરતા, આધ્યાત્મિકતા, કલાકૃતિનો અનેરો સંગમ એવા આ પ્રમુખ સ્વામીનુ મુલાકાત લેવાનો નગર એટલે ભારતના દરેક રંગનુ અનોખુ મિશ્રણ. યુવાઓ માટે પ્રેરણારૂપ આ ઉત્સવની મુલાકાત જ કોઈને પણ દિવ્યતાનો અનુભવ કરાવે છે.

પ્રમુખ સ્વામી મહારાજ જેમને સમગ્ર જીવન લોકોને “બીજાના સુખમા આપણુ સુખ” જેવી શીખ આપી છે અને અગણિત લોકોને ખોટા રસ્તે જ્તા રોકી ચારિત્ર્ય દ્રઢ રાખવા પ્રેરિત કર્યાં. “સર્જનાત્મકતા, નેતૃત્વતા અને સફળતા પાછળ આધ્યાત્મિકતા હોય છે” આ વાત પ્રમુખ સ્વામી મહારાજે સાચા અર્થમા સાબિત કરી સમગ્ર જીવન બીજા લોકો માટે જીવ્યા. 600 એકરની વિશાળ જમીનમા બનાવવામા આવેલ આ નગર જેમા 280 ખેડૂતો દ્વારા જમીન દાન અને હજારો સ્વયં સેવકોની અથાક મહેનત પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના આશીર્વાદ વગર અશક્ય છે. આ નગરમા મહારાજના સંસ્કારની પ્રતિકૃતિ દેખાય છે. આખા નગરની મુલાકાત મનને પ્રફુલ્લિત કરી મૂકે છે.

Advertisement

Share

Related posts

ભરૂચ ના સોનેરી મહેલ ઢાળ વિસ્તાર ને અડીને આવેલા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વરસાદી પાણી નો ભરાવો થતા સ્થાનિકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે..અને લોકો પૂછી રહ્યા છે આખરે ક્યારે તંત્ર જાગૃત થશે..?

ProudOfGujarat

ભાવનગરના વલ્લભીપુરના રાજસ્થળીમાં જાહેરમાં જુગાર રમતાં 6 શખ્સો ઝડપાયા

ProudOfGujarat

વાગરાનાં અલાદર નજીકથી અજાણી યુવતીનો વિકૃત હાલતમાં મૃતદેહ મળ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!