Proud of Gujarat
FeaturedGujaratWoman

ભરૂચ જિલ્લા માહેશ્વરી મહિલા મંડળ દ્વારા એકાદશી નિમિત્તે અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પર મુસાફરોને સરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Share

દિનેશભાઇ અડવાણી

સેવાભાવી સંસ્થાઓ અને નાગરિકો દ્વારા અંકલેશ્વર રેલ્વે સ્ટેશનના પ્લેટ ફોર્મ નંબર-૧ પર પાણીનું વિના મુલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે.ભરૂચ જિલ્લા માહેશ્વરી મહિલા મંડળ અને જિલ્લા માહેશ્વરી યુવા સંગઠન દ્વારા પણ ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.સમાજની મહિલાઓ ટ્રેનમાં આવતા મુસાફરોને વિના મુલ્યે પાણીનું વિતરણ કરે છે. ત્યારે ગુરુવારના રોજ ભીમ એકાદશી નિમિત્તે રેલ્વે સ્ટેશન પર આવતા મુસાફરોને સરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં મહિલાઓએ મુસાફરોને સરબત અને પાણીનું વિતરણ કર્યું હતું.સદર કાર્યક્રમમાં માહેશ્વરી સમાજના આગેવાન ભવાની શંકર અને સભ્ય તેમજ મહિલા મંડળની બહેનો અને રેલવેના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement


Share

Related posts

ભરૂચના નબીપુર – ઝનોર માર્ગ પર થયેલ લૂંટના ગુનાનો માસ્ટર માઇન્ડ આરોપી ચેન્નાઇમાં લૂંટ કરે તે પહેલાં મુંબઈથી ઝડપાયો

ProudOfGujarat

ભરૂચની આશ્રય સોસાયટી નજીક આવેલ કાંસમાંથી એક ઇસમનો મૃતદેહ મળતા ચકચાર : પોલીસે મામલે વધુ તપાસ હાથધરી.

ProudOfGujarat

નડિયાદ ખાતે કલેક્ટર કે.એલ.બચાણીના અધ્યક્ષસ્થાને જિલ્લા રૂડસેટ એડવાઈઝરીની બેઠક યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!