Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ:આમોદ તાલુકાના નિવૃત કર્મચારીઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો…

Share

દિનેશભાઇ અડવાણી

હાલના સમયમાં પૃથ્વીનું વાતાવરણ ખૂબ ગરમ થઇ ગયું છે તેમજ અનિયમિત વરસાદ પડી રહ્યો છે. દિન-પ્રતિદિન વધી રહેલા પ્રદૂષણને અંકુશમાં લાવવા વિવિધ પ્રયત્નો થઇ રહ્યા છે ત્યારે ધરતીના આભૂષણ સમાન વૃક્ષો સામે હવે જાગૃતિ લાવવા દરેક નાગરિકે આગળ આવવું પડશે અને વધુને વધુ વૃક્ષો વાવીને તેનું જતન કરી ઉછેર કરવો જોઈએ.પર્યાવરણ ટકાવી રાખવા વૃક્ષોનું રોપણ ખૂબ જ જરૂરી બની ગયું છે.

Advertisement

આમોદ તાલુકાના નિવૃત કર્મચારીઓ સાથે-સાથે આમોદ શહેરના પર્યાવરણ પ્રેમીઓ પણ વૃક્ષારોપણ કાર્યક્રમમાં જોડાયા હતા.આમોદ શહેરનાં જાહેર સ્થળ વિસ્તાર હરિયાળી થી વધુ રળિયામણા લાગે તે આશય સાથે આમોદ તાલુકા નાં નિવૃત કર્મચારીઓ દ્વારા તેમજ પર્યાવરણ પ્રેમીઓ તેમજ આમોદ વન વિભાગના સહયોગથી 101 વૃક્ષ આમોદ નગરપાલિકાની સામે, તાલુકા પંચાયત, મામલતદાર કચેરી તેમજ પોલીસ સ્ટેશન જેવા જાહેર સ્થળ વિસ્તાર ની બિન ઉપયોગી ખુલ્લી જગ્યા પર વડ,પીપળો સહિત લુપ્ત થતી જાતિના વૃક્ષો રોપણ કરવામાં આવ્યા હતા.

આગામી દિવસોમાં વધુને વધુ વૃક્ષારોપણ કરી તેમજ વૃક્ષોના જતન નાં સંકલ્પ સાથે આમોદ શહેર તેમજ તાલુકા માં વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે એમ આમોદ તાલુકા નિવૃત કર્મચારી મંડળના પ્રમુખ એમ.બી.પંડ્યા દ્વારા જણાવવામાં આવ્યું હતું.આમોદ વન વિભાગે લીમડો,ખાટી આમલી તેમજ વડ પીપળો વગેરે વૃક્ષોના છોડ આપવાની બાંહેધરી આપી છે.


Share

Related posts

રાજકોટના વૃદ્ધમાં જોવા મળ્યું ગોલ્ડન બ્લડ ‘EMM-નેગેટિવ.

ProudOfGujarat

માંગરોળ : પ્રધાનમંત્રી સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત પચાસ જેટલી દિકરીઓના ખાતા ખોલવામાં આવ્યા.

ProudOfGujarat

ભુતપુર્વ વિધાર્થીનીએ શાળાના બાળકોને વિનામુલ્યે સ્કુલબેગનુ વિતરણ કર્યુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!