Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચમા જિલ્લા ન્યાયાલય તેમજ તાલુકા કોર્ટોમાં રાષ્ટ્રીય લોકઅદાલત યોજાય.વર્ગ- ૪ ના કર્મચારીઓના હાથે દીપપ્રાગટ્ય કરી લોકઅદાલતનું ઉદ્દઘાટન કરાયું….

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ ખાતે ભરૂચ જિલ્લા ન્યાયાલય તેમજ તાલુકા કોર્ટોમાં તારીખ ૧૩/૭/૧૯ ના રોજ લોકઅદાલત યોજવામાં આવી હતી.જેનું ઉદ્દઘાટન વર્ગ-૪ ના કર્મચારીઓના હસ્તે દીપપ્રાગટ્ય કરી કરવામાં આવ્યું હતું.રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હીના આદેશ અનુસાર અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના ઉપક્રમે ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ઇન્ચાર્જ ચેરમેન સમીર.વી.વ્યાસના માર્ગદર્શન હેઠળ તેમજ જે.ઝેડ.મેહતા સેક્રેટરી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સંચાલન હેઠળ નેશનલ લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.જેની સેવાઓથી ન્યાયતંત્ર દ્વારા યોજાતા કાર્યક્રમો સફળતાપૂર્વક પાર પડે છે તેવા વર્ગ-૪ ના કર્મચારીના પ્રતિનિધિ અંબાલાલ વાઘેલા(હવલદાર),મહેશભાઈ પરમાર (નાયક), શદીદુદ્દીન શેખ (પટાવાળા) ,ઉમરફારૂક મન્સૂરી(પટાવાળા) અને અમિત મારુ(પટાવાળા) ના હસ્તે દીપપ્રાગટ્ય કરી લોકઅદાલત ખુલી મુકવામાં આવી હતી.સમગ્ર જિલ્લામાં લોકઅદાલત ,સ્પેશ્યલ સીટિંગ ,પ્રિલીટીગેશન સહીત કુલ ૮૫૪૩ કેસો સમાધાનથી નિકાલ અર્થે મુકવામાં આવેલ છે.

Advertisement


Share

Related posts

વરસાદી માહોલ વચ્ચે પ્રદુષણ માફિયા બેફામ બન્યા, અંકલેશ્વરમાં કાળા કલરનું પ્રદુષિત પાણી વહેતું નજરે પડ્યું

ProudOfGujarat

સાદી રેતી ખનીજના બિનઅધિકૃત વહન કરતા વાહનો સીઝ કરી અંદાજીત ૮૦ લાખનો મુદ્દામાલ જપ્ત

ProudOfGujarat

જામનગરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે બે જગ્યાએ યોગ શિબિરનું આયોજન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!