Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગુજરાત રાજ્યમાં જિલ્લા શિક્ષણાધિકારી અને પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીઓની થઈ બદલી.

Share

ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ, સચિવાલય (ગાંધીનગર) નાયબ સચિવ જે.એમ.મિસણ દ્વારા ગુજરાત રાજ્યમાં શિક્ષણ સેવા વર્ગ (૧)ના કુલ 58 જેટલા જિલ્લા શિક્ષણાધિકારી તેમજ પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીઓની બદલી સાથે નિમણૂંક કરવામાં આવી છે.

ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી નૈસધ મકવાણાની જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી તરીકે બદલી થઈ તેમજ પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી એસ.એલ.ડોડીયાની જામનગર જિલ્લા શિક્ષણાધિકારી તરીકે બદલી થવા પામી છે. ત્યારે ભરૂચ જિલ્લાના નવા જિલ્લા શિક્ષણાધિકારી તરીકેની અમદાવાદના જિલ્લા શિક્ષણાધિકારી એન.એમ.મહેતાની નિમણૂંક કરવામાં આવી છે.

Advertisement

તમામ જિલ્લા શિક્ષણાધિકારી તેમજ પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીઓએ તેઓને બદલીથી થયેલ નિયુક્તિની જગ્યાએ તાત્કાલિક હાજર થઈ તે અંગેનો રિપોર્ટ સંબંધિત ખાતાના વડા મારફતે રાજ્ય સરકારમાં મોકલવાનો રહેશે.


Share

Related posts

અંકલેશ્વર-છેતરપિંડીનો વધુ એક બનાવ,એ.ટી.એમ કાર્ડ ગજવામાં હતો અને બેંકના એ.ટી.એમ માંથી પૈસા ઉપડી ગયા…

ProudOfGujarat

અંકલેશ્વર શહેરની ચંદ્રબાલા મોદી એકેડમીના રજતજયંતિ વર્ષની ભવ્ય ઉજવણી કરાઈ.

ProudOfGujarat

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એશોસિએશનનાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!