Proud of Gujarat
GujaratFeaturedINDIA

હાંસોટના ઈલાવ ગામના કથાકાર ધનેન્દ્ર વ્યાસ દ્વારા ઉત્તરપ્રદેશનાં ચિત્રકૂટમાં રામકથા યોજાઈ.

Share

હાંસોટ તાલુકાના ઈલાવ ગામના કથાકાર ધનેન્દ્ર વ્યાસ દ્વારા ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશની સરહદ પર આવેલ પવિત્ર ચિત્રકૂટ ધામમાં રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન રામચંદ્રજીને અતિ પ્રિય એવા પવિત્ર ચિત્રકૂટ ધામમાં આયોજિત રામકથાનો દીપ પ્રગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ચંદ્ર્જીએ તેઓના વનવાસના ૧૪ વર્ષ દરમ્યાન ૧૧ વર્ષ સુધી ચિત્રકૂટ ધામમાં નિવાસ કર્યો હતો ત્યારે આવા પાવનધામમાં સંગીતમય રામકથા શ્રવણનો મોટી સઁખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. તારીખ ૨૩ ડીસેમ્બરથી ૨૯મી ડીસેમ્બર સુધી ચિત્રકૂટમાં રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. વ્યાસપીઠ પરથી કથાકાર ધનેન્દ્ર વ્યાસે અમૃતમય વાણીમાં કથાનું રસપાન કરતા જણાવ્યું હતું કે રામકથા સાંભળવાનો એક લ્હાવો છે. રામ ભગવાન એક ઉત્તમ પુત્ર, ઉત્તમ પતિ, ઉત્તમ ભાઈ, ઉત્તમ પિતા અને એક આદર્શ રાજા છે ત્યારે રામચંદ્રજીનું વ્યક્તિત્વ જ આપણને ઘણું શીખવી જાય છે. ભગવાન રામચંદ્રજીનાં જીવનમાંથી માનવી શીખે તો તેને દુખ નડતું નથી. ચિત્રકૂટમાં આયોજિત રામકથામાં સમગ્ર દક્ષિણ ગુજરાતના ૧૨૫ જેટલા શ્રદ્ધાળુઓ લાભ લઇ રહ્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ નર્મદા ચોકડી પાસેથી વિદેશી દારૂનાં જથ્થા સાથે 3 શખ્સને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.

ProudOfGujarat

અંકલેશ્વર શહેરમાં નવલી નવરાત્રીના સાતમા નોરતે માતાજીએ પૂર્યા પરચા.

ProudOfGujarat

નર્મદા જિલ્લાના દરેક ગામોને ગ્રામપંચાયતનો દરજ્જો આપવા કલેકટરને રજુઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!