Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના ઝાડેશ્વર ખાતે ” એક શામ શહીદો કે નામ ” કાર્યક્રમમાં હાજર રહેલ શહીદોના ૨ પરિવારોને ૧-૧ લાખ રૂપિયાનો ચેક અર્પણ કરાયો હતો.બાકીની રકમ શહીદોના ઘરે જઈ ને હાથો હાથ ચેક અર્પણ કરાશે…

Share

તાજેતરમાં વાયુ સેનાના સૈનિકોના પરાક્રમ બાદ ભરૂચ જિલ્લાના રહીશોમાં ખૂબ આનંદની લાગણી વ્યાપી ગઈ છે તેમ છતાં લોકો શહીદોની શહાદતને ભૂલ્યા નથી.શહીદોના કુટુંબીજનોને સહાય કરવા અર્થે ભરૂચ પંથકમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે આવા કાર્યક્રમોમાં એકત્રિત થયેલ ફંડ શહીદોના કુટુંબીજનોને આપવામાં આવશે.આજ રોજ તા.૨-૩-૨૦૧૯ના શનિવારે ઝાડેશ્વર સાઈ મંદિરની બાજુમાં ” એક શામ શહીદો કે નામ ” ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પાવનરાજ યુવા સંગઠન ભરૂચ,અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા,વીર શહીદ સેવા સમિતિ ભરૂચના સંયુક્ત ઉપક્રમે વીરાંજલી નામે ડાયરાનું આયોજન કરાયું હતું.જેમાં લોક ગાયક ઉમેશ બારોટ,જીગ્નેશ કવિરાજ,અભેસિંહ રાઠોડ,ડો.રણજીત વાંક ડાયરામાં શહીદોને સ્વરાંજલિ આપી હતી.આ અંગે યોજાયેલ પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી કે એકત્રિત થયેલ તમામ ફંડ શહિદોના પરિવારજનોને સહાય રૂપે આપવામાં આવશે.આયોજકો તરફથી આ પ્રસંગ ને ખુબજ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો જેમાં ભરૂચ જિલ્લા પોલીસ વડાએ ખાસ હાજરી આપી હતી.

ઉપરોક્ત કાર્યક્રમ માં ભાગ લેનારાઓ તમામ વ્યક્તિઓએ કોઈ પણ પ્રકારની ટોકન લીધું નથી એટલે જ મેરા ભારત મહાન.આ દેશના માટે આજે પણ આ દેશના લોકો પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરવા તૈયાર છે.તે પ્રતીતિ થઇ છે તેનું એક ઉત્તમ ઉદાહરણ છે.આ પણ એક પ્રકારે દેશભક્તિ જ છે.

Advertisement


Share

Related posts

અંકલેશ્વર : સંજાલી ગામે અસામાજિક તત્વો દ્વારા તોડફોડ તથા મારામારી,રોષે ભરાયેલા ટોળાએ પોલીસનો કર્યો વિરોધ…

ProudOfGujarat

અંકલેશ્વર નગર ખાતે વિકાસનાં કામોનું ખાતમુહૂર્ત કરાયું.

ProudOfGujarat

વડોદરાની સયાજી હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્કની મોકડ્રિલ યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!