Proud of Gujarat
FeaturedGujarat

ચકલી દિવસ અગાવ ભરૂચની ચકલી વિશેની વાતો જાણો?

Share

દિનેશ અડવાણી

આવનાર દિવસોમાં ચકલી દિવસની ઉજવણી કરવામાં આવનાર છે.તારીખ ૨૦મી માર્ચનો દિવસ વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવાય છે.ત્યારે ભરૂચ પંથકમાં ચકલી એટલે કે પંખીઓનું કેટલું મહત્વ હતું તે અંગેની રસપ્રત વિગતો જોતા ભરૂચ નગર મધ્યે કબૂતર ખાના નામનો પ્રસિદ્ધ વિસ્તાર છે જ્યાં કબુતરની સાથે-સાથે મોટા પ્રમાણમાં ચકલીઓ પણ ચણ ખાવા આવતી હતી.કેટલેક અંશે આજે પણ વત્તા-ઓછા અંશે આ પ્રથા ચાલુ છે.ત્યારે ભરૂચ નગરના પૌરાણિક ઇતિહાસ મુજબ કેટલાક ચાર રસ્તા અને ફૂરજાના વેપારીઓ ચકલીઓ માટે કે પંખીઓ માટે ચણ મફતમાં આપતા હતા.આવો ભરૂચ પંથકમાં અદભુત ચકલી તેથી પંખી પ્રેમનો ઇતિહાસ હતો.હજી આજે પણ ઉનાળાના દિવસોમાં ખુબ મોટી સંખ્યામાં ચકલી અને પંખીઓ માટે ભરૂચના લોકો કાળઝાળ ગરમીમાં ઘરના આંગળે પાણીના કુંડા મૂકે છે.

Advertisement


Share

Related posts

ગુજરાતમાં રાત્રી કર્ફ્યુ અને પ્રતિબંધોને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજરોજ મહત્વની બેઠક, જાણો વધુ..!

ProudOfGujarat

જ્ઞાતિ અને ધર્મના ભેદ વગર ભાઇચારાના વાતાવરણમાં એક અનોખું સામાજિક કાર્ય થયું જાણો ક્યાં? અને કેવી રીતે?

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં વધુ એક HIV દર્દીનું મોત:રાજ્ય સરકાર HIV પીડિતો માટે લાખોનો ધુમાડો કરવા છતાં વધતો મૃત્યુઆંક ચિંતાજનક

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!