Proud of Gujarat
FeaturedGujarat

રતન તળાવને ઊંડું કરવાનો પ્રોજેક્ટ ફરી પડતો મુકાયો …તત્રંની લાપરવાહી …લાખો રૂપિયાનો ખર્ચ છતાં કોઈ પરિણામ નહિ …તળાવના પાણીના શુદ્ધિકરણ માટે કાચબાઓને કુંડામાં રાખેલ જેમને ફરી પાણીમાં છોડ્યા.આ તત્રંને શુ કેહવું…

Share

દિનેશભાઈ અડવાણી

ભરૂચ નગરના હેરિટેજ વૉકમાં સમાવેશ પામેલ રતન તળાવના પાણીના શુદ્ધિકરણ અંગેના પ્રોજેક્ટ અંગે વારંવાર તત્રં દ્વારા શરૂઆત કરવામાં આવી.વર્ષ ૧૯૯૮ થી રતન તળાવના પાણીના શુદ્ધિકરણ અંગેની વાતો કરતી રહી છે અને તે સાથે શુદ્ધિકરણ માટે બજેટ પણ ફાળવવામાં આવી રહું છે.લાગ-લગાટ વર્ષોથી બજેટ ફાળવતા કેટલાક લોકો એવી પણ ચર્ચા કરી રહ્યા છે કે આટલા ખર્ચમાં તો રતન તળાવનું નવ નિર્માણ થઈ શકે.હેરિટેજ વૉકમાં રતન તળાવના સમાવેશ બાદ મોટા પાયે પાણીના શુદ્ધિકરણ અંગે પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો.જેના અમલ અંગે કાચબાઓને તૈયાર કરેલ કુંડીઓમાં સ્થળાંતર કરાયા પરંતુ યોગ્ય સમયે કામગીરી કરવામાં ન આવી.લાખો રૂપિયા ખર્ચાયા છેવટે સ્થાનિકોની રજૂઆતોના પગલે કાચબાઓના જીવ ને જોખમમાં ન મુકાય તે માટે વન વિભાગના કર્મચારીઓની હાજરીમાં કાચબાઓ કુત્રિમ કુંડ માંથી ફરી રતન તળાવના પાણીમાં છોડવામાં આવ્યા.

Advertisement


Share

Related posts

આજે વિશ્વની વસ્તી પહોંચી 8 અબજ સુધી, સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં કરાયો દાવો.

ProudOfGujarat

કરજણ ડેમમાંથી ગોરા સુધી 18 ગામોને પાણી પહોંચાડવાની રિચાર્જ કેનાલનું કામ ખોરંભે,સમારીયા ગામના ખેડૂતોનો વિરોધ.

ProudOfGujarat

ભરૂચનાં નેત્રંગ તાલુકાનાં મોવી રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે કાર ખાઈમાં ખાબકતા 5 લોકોનાં કરુણ મોત નીપજયાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!