Proud of Gujarat
INDIAFeaturedGujaratUncategorized

આતંકી હુમલામાં શહીદ થયેલાં જવાનોને પાલેજ ખાતે સોની મહાજનો એ અંજલિ આપી

Share

આતંકી હુમલામાં શહીદ થયેલાં જવાનોને પાલેજ ખાતે સોની મહાજનો એ અંજલિ આપી

પાલેજ તા.૧૭

Advertisement

પુલાવામાં CRPF ના જવાનો ઉપર થયેલા આતંકી હુમલામાં શહિદ થયેલા જવાનોને અંજલિ આપવા પાલેજ નગર ના સોની સમાજ દ્વારા પાલેજ ઝંડાચોક વિસ્તાર થી પાલેજ પોલીસ મથક સુધી રેલી નું આયોજન કરી આતંકી હુમલાને વખોડી પાલેજ પોલીસ મથક ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

રવિવાર ની સવારે પાલેજ ગામના સોની મહાજનો પાલેજ ગ્રામ પંચાયત નાં સદસ્યો વેપારીઓ તેમજ હિન્દૂ-મુસ્લિમ બિરાદરો દ્વારા દેશ ના CRPF જવાનો ઉપર થયેલા આત્મઘાતી આતંકી હુમલા ને સખત શબ્દોમાં વખોડી કાઢી સહીદો નાં માન માં બે મિનિટ નું મૌન પાળી સહીદો અમર રહો ના નારા લગાવ્યા હતાં.

આ પ્રસંગે પાલેજ સોની મહાજન એસોસિએશન નાં પ્રમુખ સેક્રેટરી તેમજ સોના-ચાંદી ના વેપારીઓ ઉપરાંત ગ્રા.પં સદસ્ય સલીમ વકીલ, વીરેન્દ્ર સિંહ ગોહિલ સહિત,ઝાકીર ભાઈ બુટવાળા સહિત ગ્રામજનો ઉપસ્થિત રહયા હતાં.

ઇમરાન ઐયુબ મોદી – પાલેજ


Share

Related posts

નેત્રંગ : કરજણ-વાડી પાઇપલાઇન યોજનાની કામગીરીમાં વિલંબ

ProudOfGujarat

ભરૂચ કોવિડ સ્મશાનમાં મોતનું તાંડવ યથાવત : છેલ્લા 24 કલાકમાં કોવિડ સ્મશાનમાં 65 થી વધુ લોકોને અગ્નિદાહ અપાયા.

ProudOfGujarat

ભરૂચ : બૌડા કચેરી દ્વારા ઝાડેશ્વર હરિહર શોપિંગ સેન્ટરનાં દબાણો દૂર કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!