Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

હાઈવે રોડ ઓળંગવા જતા વાહન ની ટકકરે મજૂર ઈસમ નું મોત

Share

હાઈવે રોડ ઓળંગવા જતા વાહન ની ટકકરે મજૂર ઈસમ નું મોત

પાલેજ તા.૧૧

Advertisement

વલણ ગામ ની સીમ માંથી પસાર થતાં ને હાઇવે નં-૪૮ ઉપર આવેલ સનસીટી હોટલ નજીક ગત રોજ ૩ વાગ્યાં નાં સુમારે બપોરના વડોદરા ભરુચ ટ્રેક ઉપર હાઇવે ઉપર વચ્ચે નાં ભાગે આવેલ ફૂલ ઝાડ પરથી ફૂલો તોડવા માટે ગયેલો મજુર ઈસમ ને રોડ ક્રોસ કરવાં જતાં અજાણ્યા વાહન ની ટકકરે ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર કરજણ નાં વલણ ગામ ની સીમ માં આવેલ પ્લાજટ ઇન્ડિયા કંપની માં મજૂરી કામ કરતો ખદલા ચેતન્ય પ્રસાદ ઉ.વ-૫૨ રહે.સઈપડા,પડીરિપડા,તા-પોલસારા,જિ-ગંજામ. ઓરિસ્સા હાલ રહે. વલણ ની ખેતી ની સીમ માં આવેલ કંપની માં મજૂરી કામ કરતો હતો.તેને વડોદરા ભરુચ નાં ટ્રેક ઉપર અજાણ્યા વાહન નાં ચાલકે ગફલત ભરી રીતે પોતાનું વાહન હંકારી જતાં અડફેટે માં લેતાં ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.કરજણ પોલીસે કાયદેસર કરી તપાસ હાથ ધરી હતી.

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ


Share

Related posts

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ફરી એક સ્ફોટક પત્ર મુખ્યમંત્રીને લખ્યો…ભરૂચ જિલ્લાના ચાર તાલુકાના ખેડૂતોને સિંચાઈ અંગે પડતી સમસ્યા અંગે રજૂઆત કરી

ProudOfGujarat

ટ્રેન ની અડફટે આવતા આશ્ર્ય સોસાયટીના યુવાનનું મોત

ProudOfGujarat

મણિપુરમાં ફરી હિંસા, ફાયરિંગમાં બે લોકોના મોત, પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા બાદ સ્થિતિ પર કાબુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!