Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નડિયાદ ગામના સરપંચ વિરુદ્ધ સ્થાનિક રહીશોએ ભારે વિરોધ કર્યો હતો.

Share

જંબુસર તાલુકાના નડિયાદ ગામના સરપંચ આદિવાસી રાઠોડ સમાજની સ્મશાનની જમીન પચાવી પાડવાની કોશિશ કરી રહ્યા હોવાની, તેમજ આદિવાસી તેમજ રાઠોડ સમાજ પર અત્યાચાર કરતા હોવાના આક્ષેપો સાથે ગ્રામજનોએ ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે પ્રચંડ વિરોધ દર્શાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં એક યુવાન તો જીવતે જીવ કલેક્ટર કચેરી ખાતે મરણ સૈયા ઉપર સૂઈ જઈને અનોખું વિરોધ પ્રદર્શન કર્યું હતું.

આ વિરોધ પ્રદર્શન બાદ ગ્રામજનોએ જિલ્લા કલેકટરને મળીને એક આવેદનપત્ર પાઠવ્યું હતું અને ગામનાં સરપંચ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી હાથ ધરાય તેવી માંગ કરી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર તાલુકાનાં ખરોડ ગામ ખાતે તસ્કરોનો તરખાટ.

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં યોજાયો આઠમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, ૪૦૦૦ કરતા વધુ યોગસાધકોએ યોગસાધના કરી.

ProudOfGujarat

ભરૂચ સરદાર બ્રિજ પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!