Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં રેલ્વે ગોદી વિસ્તારમાં અનાજ સાથે જોખમી જીપ્સમનો પાઉડર અનાજ સાથે ભળતા લોકોનાં સ્વાસ્થયને જોખમ હોવાની રજુઆત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જીલ્લા કલેકટરને કરવામાં આવી છે.

Share

ભરૂચમાં રેલ્વે ગોદી ઉપર ઉતરતા અનાજનો જથ્થો ખુલ્લામાં જ ઉતારવામાં આવે છે સાથે અહીં જીપ્સમ તેમજ સિમેન્ટ ઉતરે છે. ત્યારે જીપ્સમ એ કેમિકલ મિશ્રણ થયેલો પાઉડર છે જે શરીરમાં જાય તો સ્વાસ્થય માટે ખતરો ઊભો થઈ શકે છે ત્યારે હાલ છેલ્લા કેટલાક સમયથી જીપ્સમનો પાઉડર ઉડીને અનાજની ગુણો પર પડે છે જે અનાજ સાથે મિશ્રણ થઈને ગોડાઉન સુધી પહોંચે છે. અહીંથી સસ્તા અનાજની દુકાન પર અને ત્યાંથી ગરીબ પરિવારનાં ઘરો સુધી પહોંચે છે. જે ગરીબ પરિવારોનાં પેટ સુધી પહોંચે છે ત્યારે આ રેલ્વે ગોદી ઉપર ઉડતા જીપ્સમનાં પાઉડર મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને GPCB ને જાગૃત લોકોએ જાણ કરી છતાં કોઈ જ પગલાં નહીં ભરતા આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનાં જીલ્લા મહામંત્રી સેજલ દેસાઇ સહિતનાં લોકોએ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને યોગ્ય તપાસ કરી કોન્ટ્રાકટર સામે પગલાં ભરવાની માંગણી કરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લામાં આજે કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 19 થઇ જયારે કુલ સંખ્યા 352 પર પહોંચી.

ProudOfGujarat

आतिफ असलम और यूलिया ने सलमान के “सेल्फिश” गाने में अपने सुर से लगाये चार चाँद!

ProudOfGujarat

ભરૂચ : ઈદના તહેવારને લઈ સાફસફાઈ કરાવવા વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના સભ્યોએ કરી રજુઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!