Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં રેલ્વે ગોદી વિસ્તારમાં અનાજ સાથે જોખમી જીપ્સમનો પાઉડર અનાજ સાથે ભળતા લોકોનાં સ્વાસ્થયને જોખમ હોવાની રજુઆત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જીલ્લા કલેકટરને કરવામાં આવી છે.

Share

ભરૂચમાં રેલ્વે ગોદી ઉપર ઉતરતા અનાજનો જથ્થો ખુલ્લામાં જ ઉતારવામાં આવે છે સાથે અહીં જીપ્સમ તેમજ સિમેન્ટ ઉતરે છે. ત્યારે જીપ્સમ એ કેમિકલ મિશ્રણ થયેલો પાઉડર છે જે શરીરમાં જાય તો સ્વાસ્થય માટે ખતરો ઊભો થઈ શકે છે ત્યારે હાલ છેલ્લા કેટલાક સમયથી જીપ્સમનો પાઉડર ઉડીને અનાજની ગુણો પર પડે છે જે અનાજ સાથે મિશ્રણ થઈને ગોડાઉન સુધી પહોંચે છે. અહીંથી સસ્તા અનાજની દુકાન પર અને ત્યાંથી ગરીબ પરિવારનાં ઘરો સુધી પહોંચે છે. જે ગરીબ પરિવારોનાં પેટ સુધી પહોંચે છે ત્યારે આ રેલ્વે ગોદી ઉપર ઉડતા જીપ્સમનાં પાઉડર મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને GPCB ને જાગૃત લોકોએ જાણ કરી છતાં કોઈ જ પગલાં નહીં ભરતા આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનાં જીલ્લા મહામંત્રી સેજલ દેસાઇ સહિતનાં લોકોએ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને યોગ્ય તપાસ કરી કોન્ટ્રાકટર સામે પગલાં ભરવાની માંગણી કરી છે.

Advertisement

Share

Related posts

અમદાવાદ: નવરાત્રી પર યુવતીઓની છેડતી કરતાં 8 રોમિયોને ટ્રેડિશનલ ડ્રેસમાં મહિલા પોલીસે ઝડપ્યા

ProudOfGujarat

ભરૂચ જીલ્લા ના આમોદ તાલુકાના ખેડૂતો ને સમયસર વીજળી ન મળતાં ખેડૂતો એ જીઈબી કચેરી ખાતે હલ્લાબોલ મચાવ્યો હતો .અને વહેલી તકે ખેડૂતો ના પ્રશ્નો ને નિરાકરણ નહી કરાઈ તો તાળા બંધી કરવા ની ચીમકી ઉચ્ચારતા ચકચાર મચી જવા પામી હતી…..

ProudOfGujarat

રાજપીપળા : જિલ્લા કલેક્ટર કોઠારીના અધ્યક્ષપદે યોજાઇ જિલ્લા સંકલન- સહ ફરિયાદ નિવારણ સમિતીની બેઠક

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!