Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં બોરિદ્રા ગામે દાયમા પરિવારનાં બંધ ઘરને તસ્કરોએ નિશાન બનાવી પોણા બે લાખની મત્તા લઈ તસ્કરોએ ખળભળાટ મચાવ્યો.

Share

અંકલેશ્વરનાં બોરિદ્રા ગામમાં 25 મીનાં રાત્રીનાં દાયમા પરિવારનાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી પોણા બે લાખની મત્તા પર હાથ ફેરો કરી ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ શહેર પોલીસ મથકમાં દાખલ થઈ છે. અંકલેશ્વરમાં તસ્કરોએ ફરી ખળભળાટ મચાવવાનું શરૂ કર્યું છે. લોકોને શિયાળાની પણ મીઠી નિંદ્રા માણવા દેતા નથી. ત્યાં એ બોરિદ્રા ગામમાં બંધ મકાનને નિશાન બનાવ્યું છે. જયારે મળેલી વિગતોમાં બોરિદ્રા ગામે પાણીની ટાંકી ફળિયામાં રહેતા ધર્મેન્દ્રસિંહ દાયમાનાંઓ 24 મીનાં સાંજનાં તેમના દાદાને ઘરે વડોદરા માતા અને બહેન સાથે ગયા હતા અને તેમના પિતા લુપીન કંપનીમાં કામ પર ગયા હતા. આ દરમ્યાન 25 મીએ રાત્રીનાં સમયે તેમના બંધ ઘરનાં દરવાજાનાં નકુચા તોડી તસ્કરોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં મુકેલ તિજોરીને તોડી નાંખી અંદર મૂકેલા સોના-ચાંદીના દાગીના કિંમત રૂ.1,48,000 તેમજ રોકડા રૂપિયા 24 હજાર મળીને કુલ રૂ.1,72,400 નાં મુદ્દામાલ પર હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા. 26 મીએ ધર્મેન્દ્રસિંહનાં પિતા નોકરી પરથી ઘરે આવતા દરવાજાનો નકુચો તૂટેલો જોતાં અને ઘરનો સામાન વેર વિખેર જોતાં તેમણે પોલીસને જાણ કરતાં પોલીસે ચોરી અંગે ગુનો દાખલ કરીને આગળની તપાસ શહેર પોલીસ ચલાવી રહી છે.
.

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે ૨૯ મી જુલાઈએ કેશ ક્રેડિટ કેમ્પ યોજાશે.

ProudOfGujarat

ભરૂચમાં આજરોજ વધુ 22 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1996 થઈ.

ProudOfGujarat

ભરૂચ સીટી પોલીસ નો ડી સ્ટાફ ની કામગીરી નું મૂલ્યાંકન કોણ કર શે…? દરરોજ માત્ર ૨ થી ૫ લી દેશી દારૂ ઝડપી સંતોષ માનતી ડી સ્ટાફ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!