ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ જિલ્લા કલેકટરને લેખિત રજુઆત કરી છે. જેમાં જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં ઇંધણનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા અંગે જે આહવાન કરાયું છે. તે આવકાર્ય અને દીર્ઘદ્રષ્ટિપૂર્ણ છે. હાલમાં ભરૂચ જીલ્લાના સ્થાનિક પેટ્રોલ પંપો દ્વારા કેરબા (કેન) માં પેટ્રોલ અથવા ડીઝલ આપવાનો ઇનકાર કરવામાં આવી રહ્યો છે. ખેતીના વિવિધ ઉપકરણો અને ટ્રેક્ટર વગેરે માટે ખેડૂતોને કેરબામાં ઇંધણ લઈ જવાની અનિવાર્ય જરૂરિયાત રહેતી હોય છે, જેથી વર્તમાન સ્થિતિના કારણે તેઓને ખેતીકામમાં મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
આ ગંભીર સમસ્યાના વ્યવહારુ ઉકેલ માટે કેરબામાં ઇંધણ આપતા પૂર્વે સંબંધિત વ્યક્તિના અધિકૃત ઓળખપત્રની ચકાસણી કરી તેની યોગ્ય નોંધ રાખવામાં આવે. તે વ્યક્તિ વાસ્તવિક ખેડૂત છે કે નહીં, તેની પુષ્ટિ કરવા જરૂરી દસ્તાવેજોની તપાસ કરાઈ. નિયમો અને યોગ્ય વેરિફિકેશન સાથે ખેડૂતોને કેરબામાં પેટ્રોલ-ડીઝલ ઉપલબ્ધ કરાવાઈ, જેથી જગતના તાતને પડતી હાલાકીમાંથી મુક્તિ મળશે.
