Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની સિવિલ હોસ્પિટલમાં કોરોના વાયરસને નાથવા આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો જેમાં વિદેશ પ્રવાસે ગયેલ એક દંપતિને ઓબ્જર્વેશન માટે રખાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

Share

કોરોના વાયરસને લઇ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો હતો. રાજ્યના આરોગ્ય વિભાગે કોરોના વાયરસની દહેશત અને સંભવિતતાને જોતા રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલો તેમજ સરકારી હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવાના આદેશો જારી કર્યા છે.

દરમ્યાન ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ઊભા કરાયેલ આઇસોલેશન વોર્ડમાં વિદેશથી આવેલ પતિ પત્નીને ઓબ્ઝર્વેશન માટે રખાયા હોવાની પણ વિગતો બહાર આવી છે. મળતી માહિતી પ્રમાણે આ દંપતિ હાલમાં મલેશિયા અને સિંગાપુરના પ્રવાસે ગયું હતું. બંનેનો રિપોર્ટ અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજમાં પરીક્ષણ માટે મોકલાયો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જોકે ભરૂચ સિવિલ હોસ્પિટલના સર્જને જણાવ્યું હતું કે આ દંપતિ તબીબી નિરીક્ષણ હેઠળ છે અને રિપોર્ટ આવ્યા બાદ સાચી પરિસ્થિતિ સામે આવશે હાલ તુરંત ચિંતાની કોઈ વાત નથી.

Advertisement

Share

Related posts

જામનગરમાં નવાનગર નેચર ક્લબ દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ગ્રીન વોકનું આયોજન.

ProudOfGujarat

રાજપીપળા : 10 એપ્રિલનાં રોજ સાગબારાનાં પાટ ગામ ખાતે પોઝિટિવ આવેલા 40 દર્દીઓનાં આંકડા તંત્ર કેમ છુપાવે છે ? તંત્રનાં ચોપડે એક પણ કેસ પોઝિટિવ બોલાતું નથી !

ProudOfGujarat

ઝધડીયા તાલુકાનાં ભાલોદ ગામ પાસે નર્મદા નદીમાં મગર જણાતા ભયનો માહોલ સર્જાયો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!