Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે હોમિયોપેથીક વિભાગ દ્વારા કોરોના વાયરસનો ઉકાળો તથા હોમિયોપેથીક દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Share

કોરોના વાયરસની દહેશતને પગલે રાજ્યભરમાં આરોગ્ય વિભાગે તકેદારી દાખવવા સધન ઝુંબેશ હાથ ધરી છે. ભરૂચ આરોગ્ય વિભાગે જિલ્લાના 40 જેટલા લોકોને ૧૪ દિવસ સુધી ઘરની બહાર ન નીકળવા સૂચન કર્યું છે. આ તમામ તાજેતરમાં વિદેશ પ્રવાસથી પરત આવ્યા છે. વિદેશ પ્રવાસથી આવેલા આ ૪૦ જેટલા લોકો આરોગ્ય વિભાગના સંપર્કમાં હોવાની પુષ્ટિ થવા પામી છે. અત્યાર સુધી ભરૂચ આરોગ્ય વિભાગ દ્વારા કુલ ૨૭ લોકોને ૧૪ દિવસ સુધી તબીબી નિરીક્ષણ હેઠળ રાખ્યા હતા અને કોષ પૂરો થતાં કોરોનાના કોઇ લક્ષણ ન દેખાતા તંત્રએ હાશકારો લીધો હતો. જોકે જિલ્લા આરોગ્ય અધિકારીએ હાલ જિલ્લામાં કોરોના વાયરસને લઇ ચિંતાની કોઇ બાબત નહિ હોવાનું જણાવ્યું છે જોકે તકેદારી રાખવાની અપીલ કરી છે.

દરમ્યાન આજરોજ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે હોમિયોપેથીક વિભાગ દ્વારા કોરોના વાયરસનો ઉકાળો તથા રોગ પ્રતિકારક હોમિયોપેથીક દવાનું વિના મુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું જેનો લાભ મોટી સંખ્યામાં લોકોએ લીધો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ : સરદાર બ્રિજ પર ચાલુ ડમ્પરમાં આગ લાગતા દોડધામ, સદનસીબે કોઈ જાનહાની નહિ..!

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં આગામી શ્રાવણ માસનાં અને અન્ય તહેવારો યોજાશે કે કેમ તે અંગે પ્રશ્નો જાણો વાસ્તવિક હકીકત.

ProudOfGujarat

ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા સંગઠનના કાર્યકરોને નિમણુંક પત્ર એનાયત કરાયા હતા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!