Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઓનલાઈન ફસાયેલા રૂ.8 લાખ પરત અપાવવાની વિધિના બહાને વૃદ્ધા સાથે રૂ.15 લાખની ઠગાઈ :  જ્યોતિષના પુત્રએ વિશ્વાસ કેળવી સોનાના દાગીના, ચાંદીના સિક્કા અને રોકડ પડાવી હોવાનો આક્ષેપ

Share

 

ભરૂચ  :

Advertisement

ભરૂચના ઝાડેશ્વર રોડ પર ચામુંડા મંદિર નજીક આવેલી મંગલદર્શન સોસાયટીમાં રહેતી 41 વર્ષીય અલ્કાબેન અંબાલાલ સોની સાથે ઓનલાઈન ફસાયેલા રૂપિયા પરત અપાવવાની વિધિના બહાને રૂ.15 લાખથી વધુની ઠગાઈ થયાની ફરિયાદ સી ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, અલ્કાબેન નેટવર્કિંગનું કામ કરે છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં અલગ-અલગ કંપનીઓમાં તેમના આશરે રૂ.8 લાખ ફસાઈ ગયા હતા. આ અંગે તેમણે સોસાયટીની બાજુમાં રહેતા જ્યોતિષ અને ભુવાપણું કરતા પરેશ જોષીને જાણ કરી હતી. પરેશે રૂપિયા પરત અપાવવાની ખાતરી આપી હતી.

ત્યારબાદ પરેશનો પુત્ર પાર્થ જોષી અલ્કાબેનના ઘરે અવારનવાર જતો અને ફોન કરી ખબરઅંતર પૂછતો હોવાથી બંને વચ્ચે વિશ્વાસનો સંબંધ બંધાયો હતો. ગત 14 ફેબ્રુઆરી, 2024ના રોજ પાર્થએ જૂનાગઢના દાદા વિધિ કરતા હોવાનું કહી ચાંદી આપવાથી ફસાયેલા રૂપિયા પરત મળશે તેવી વાત કરી હતી.

આ વાતોમાં આવી ગયેલી અલ્કાબેને 15 ફેબ્રુઆરીથી 1 ઓગસ્ટ દરમિયાન રૂ.11.49 લાખના સોનાના દાગીના તથા રૂ.32 હજારથી વધુના ચાંદીના દાગીના અને સિક્કા આપ્યા હતા. ઉપરાંત, કોર્ટના ભરણપોષણ કેસ અને RTOના કામ માટે પાર્થએ 4 મે થી 4 ઓગસ્ટ દરમિયાન રૂ.3.18 લાખથી વધુની રોકડ ઉછીની લીધી હતી.

રૂપિયા અને દાગીના પરત ન મળતાં અલ્કાબેને પોલીસમાં અરજી કરી હતી. આખરે ફરિયાદ નોંધાવતાં સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


Share

Related posts

સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મ પ્રમોશન માટે ડિરેક્ટર, અભિનેતા અક્ષય કુમાર અભિનેત્રી અને મિસ વર્લ્ડ માનુષી છીલ્લર એ સોમનાથ મહાદેવની પૂજા કરી.

ProudOfGujarat

ભરૂચમાં દુબઈનાં અબુધાબીથી આવેલ ૧૭૫ થી વધુ લોકોને 2 હોસ્ટેલ અને ૬ હોટલમાં કોરનટાઈન કરવામાં આવ્યા છે.

ProudOfGujarat

જિન્માસ્ટિક ટ્રેમ્પલીન વર્લ્ડકપમાં હેડ ઓફ ડેલિગેશન તરીકે રાજપીપળાના પ્રો.હિમાંશુ દવેની પસંદગી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!