Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં ઇંગ્લેન્ડથી આવેલ એક વ્યક્તિને કોરોના વાયરસની શંકાસ્પદ અસરનાં પગલે સિવિલ હોસ્પિટલનાં આઇસોલેશન વોર્ડમાં એડમિટ કરવામાં આવ્યો.

Share

કોરોના વાયરસના સંક્રમણના ડાકલા ભરૂચ જિલ્લામાં સંભરાતા રહ્યા છે, આજરોજ વિદેશથી આવેલ એક એનઆરઆઈને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો હતો. ભરૂચમાં ઇંગ્લેન્ડથી આવેલ એક વ્યક્તિને કોરોના વાયરસની શંકાસ્પદ અસરના પગલે સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં એડમિટ કરાયો હતો. આ એનઆરઆઈ ના બ્લડ સેમ્પલ પરીક્ષણ અર્થે અમદાવાદ મોકલાયા હતા. ભરૂચ સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં કોરોના વાયરસના શંકાસ્પદ અસરના પગલે આઇસોલેશન વોર્ડમાં રખાયેલ 3 દર્દીના રિપોર્ટ જોકે નેગેટિવ આવતા તંત્રએ હાશકારો લીધો હતો. આ અગાઉ હજ પઢવા ગયેલા પારખેતના દંપત્તિ અને અંકલેશ્વરના બિઝનેસમેનનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

Advertisement

Share

Related posts

ભરતસિંહ સોલંકીએ જ સૂત્ર આપ્યું હતું 2022 કોંગ્રેસ લાવીશ પરંતુ ચૂંટણી પહેલા શોર્ટ બ્રેક લીધો..!!

ProudOfGujarat

અંકલેશ્વર પ્રાંત અધિકારી દ્વારા અરજદારોને કલાકો સુધી બેસાડી રખાતા કલેકટરને રજૂઆત.

ProudOfGujarat

વડોદરાની બિગ બઝાર,બંસલ,ઓશિયા સુપર માર્કેટમાંથી ઘી સહિતના નમૂના લેવાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!