Proud of Gujarat
FeaturedGujaratINDIA

રામજન્મ જયંતિ અને હરિ જયંતિ નિમિત્તે આત્મીય ગ્રીન સ્કૂલ ઝાડેશ્વરના અગ્રણી પ્રવીણભાઈ કાછડિયા દ્વારા એક ફેમિલમાં પાંચ વ્યક્તિ 21 દિવસ સુધી જમી શકે તે પ્રકારની 100 જેટલી કીટ તૈયાર કરી હતી.

Share

કોરોનાના હાહાકાર વચ્ચે લોક ડાઉનની સ્થિતિને લઇ મધ્યમ અને ગરીબ પરિવારોની હાલત કફોડી બની છે જેમાં પણ ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં વસતા અંતરિયાળ વિસ્તારના લોકો હાલ દયનિય સ્થિતિમાં મુકાયા છે,જે બાબતને ધ્યાનમાં લઈને આત્મીય ગ્રીન સ્કૂલના અગ્રણી પ્રવીણભાઈ કાછડિયાએ અંતરિયાળ વિસ્તારના લોકોના પડખે ઉભા રહ્યા છે અને માચીસથી શરૂ કરી ઘર જરૂર આવતી સમગ્ર સામગ્રીની 100 જેટલી કીટ તૈયાર કરવામાં આવી છે

જે કિટો ડેડીયાપાડા તેમજ સાગબારાના અંતરિયાળ વિસ્તારોમાં વસતા ગરીબ પરિવારોને વિતરણ કરવામાં આવનાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગ્રણી પ્રવીણભાઈ કાછડિયા દ્વારા લોકડાઉનની સ્થિતી વચ્ચે સતત સેવા કીય કાર્ય કરી રહ્યા છે જેમાં દરરોજ 100 કી.લો ગાંઠિયાનું વિતરણ તેમજ શ્રમિકો માટે ચંપલ અને જમવાની વ્યવસ્થાથી લઇ તેમોના વતન સુધી મોકલવા માટેની વાહનોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે જે સેવાકીય બાબતોને હાલ લોકો પણ વખાણી રહ્યા છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા : ખેડૂત વિરોધી કાયદો રદ કરવા નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધતુ આવેદન.

ProudOfGujarat

માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યકમ યોજાયો.

ProudOfGujarat

રાજપીપળા : કેન્દ્રિય ગૃહ સચિવ અજય ભલ્લાએ કેવડિયા ખાતે સમિક્ષા બેઠક યોજી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!