Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લાનાં પર પ્રાંતિય શ્રમજીવીઓ વતન જવા રવાના થઈ રહ્યા છે ઉદ્યોગોમાં પગારનાં ઠેકાણા અને કોન્ટ્રાકટરો પાસે કામદારને પગાર ચુકવવાનાં રૂપિયા નથી.

Share

ભરૂચ જીલ્લામાં લોક ડાઉનને પગલે ઉદ્યોગો બંધ થયાં હતા જયારે હાલ શરતી મંજૂરીથી શરૂ થયેલા ઉદ્યોગોમાં કામદારોની સંખ્યા ઘટાડી દેવામાં આવતાં બાકી રહેલાં કામદારો, કોન્ટ્રાકટરો તેમજ ઉદ્યોગવાળા પગાર નહીં મળતાં ભૂખે મરવાનો વારો આવતાં હવે કામદારોએ ચાલતાં જ વતનની વાટ પકડી છે. ભૂખે મરને સે અચ્છા તો ગાવ મે જાકર મરે જેવા વાકયો કામદારો કહે છે. કોરોના વાઇરસે દેશભરમાં લોક ડાઉન કરાવી નાંખ્યું છે. ભરૂચ જીલ્લામાં ધમધમતી પાંચ ઉદ્યોગનગરીનાં કારખાનાં પણ બંધ થઈ જતાં સૌથી વધુ કફોડી હાલત પર પ્રાંતિય કામદારોને થઈ હતી. જેમ તેમ કરી યુ.પી, બિહાર, ઝારખંડનાં લોકોએ 15 દિવસ તો લોક ડાઉનનાં કાઢી નાંખ્યા પરંતુ ત્યારબાદ પરિવાર બાળકોને પગલે જમવાનું ઓછું થઈ ગયું. સેવાભાવી સંસ્થાને તંત્રએ જમવાનું વહેંચવા પર પ્રતિબંધ ફરમાવી દીધો હતો. આથી વધુ હાલત કફોડી બની કોન્ટ્રાકટર દ્વારા આપેલા રૂપિયા પણ પૂરા થયાં અને ભૂખે મારવાનું શરૂ થયું, લોકોને બે ટંકનું જમવાનું મુશ્કેલ બની ગયું ત્યારે ગઇકાલે જ કેટલાંક પર પ્રાંતિયોએ જીલ્લા કલેકટર કચેરી ખાતે વતન જવાની જીદ કરી હતી. ત્યાં હાજર અધિકારીઓ તેમની આપવીતી સાંભળવા માટે સમય ન હતો ત્યારે હવે તો કંપનીનાં કેટલાક માલિકો કોન્ટ્રાકટરોએ કહી દીધું કે પૈસા હી નહીં હૈ તો આપકો કહા સે દુ જાવ જો કરતાં હે કરો પૈસા નહીં હે તો ખાના કહા સે લાકર દુ. મુજે કંપનીવાલે થોડા હી પૈસા દેતાં હૈ. તેવા જવાબોથી હવે કામદારોનું અહીં રહેવું મુશ્કેલ બનતાં કામદારો કહે છે કે યહાં મરને સે તો અચ્છા હમ ગાંવ મે જાકર ભૂખે મરે. તેમ કહીને હવે યુ.પી, બિહાર, ઝારખંડ, એમ.પી., ઉત્તરાખંડનાં મજૂરો શ્રમજીવીઓએ જેટલું જમવાનું બન્યું તેટલું બાંધીને પોટલી લઈને વતન જવાની શરૂઆત કરી દીધી છે એટલે કે હવે ભરૂચ, વાગરા, દહેજ, અંકલેશ્વર, પાનોલીનાં ઉદ્યોગોમાં કામ કરતાં પરપ્રાંતિયો લોકો પોતાનાં વતને જવા પગપાળા જે વાહન મળે જયાં સુધી મળે ત્યાં સુધી જવા રવાના થઈ રહ્યા છે. ધીરે-ધીરે પર પ્રાંતિયો કામદારો ભરૂચ જીલ્લો છોડી રહ્યા છે જેની અસર આવનારા દિવસોમાં પડશે. કેમ કે જે સખત મહેનત પર પ્રાંતિય લોકો કરી શકે તેવી મહેનત બીજા કોઈ કરી શકતા નથી. ત્યારે જીલ્લામાં આગામી દિવસોમાં મજૂરો કામદારોની ધટ પડશે. કામદારોની મજૂરી વધશે અને તેની સીધી અસર અર્થતંત્ર પર પડશે. ત્યારે જીલ્લાનાં વહીવટી તંત્રએ કામદારોનું પલાયન રોકવું પડશે.

Advertisement

Share

Related posts

ભરૂચ : ટંકારીયા ગામ ખાતે દુકાનમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ, સદનસીબે કોઈ જાનહાની નહિ..!!

ProudOfGujarat

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો…

ProudOfGujarat

વડોદરાના પાદરા હાઈવે પાસે BMW ગાડીમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!