Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ સિવિલ હોસ્પિટલનાં નર્સિંગ સ્ટાફને ગુજરાત નર્સિંગ કાઉન્સિલનાં અગ્રણી દ્વારા સેનેટાઇઝરનું વિતરણ તથા કોરોના વાઈરસથી મૃત્યુ પામેલા નર્સ બહેનોની આત્માને શાંતિ માટે શ્રદ્ધાંજલિ આપી હતી.

Share

દેશભરમાં તેમજ રાજયમાં કોરોના વાઇરસ મહામારીને લઈને હાહાકાર મચી ગયો છે. ત્યાં રાજયની તમામ સરકારી હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્ર અને ખાનગી હોસ્પિટલોમાં આવી કપરી પરિસ્થિતિમાં ફરજ બજાવતાં નર્સિંગ સ્ટાફની કામગીરીને આજે ગુજરાત નર્સિંગ કાઉન્સીલનાં વાઇસ પ્રેસિડેન્ટ ઇકબાલ કડીવાળા એ બિરદાવી હતી.

તેમજ આજે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આજે તમામને સેનેટાઇઝનું વિતરણ કરવામાં આવ્યું હતું. જયારે અમદાવાદ સિવિલ હોસ્પિટલનાં હેડ નર્સ કોરોના વોરિયર્સનું પણ કોરોના સંક્રમણને પગલે મોત થતાં તેમની આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું અને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

ડેડીયાપાડાથી નિવાલ્દા જતા રસ્તા ઉપર ઊડતી ધૂળથી સ્થાનિક રહીશો પરેશાન.

ProudOfGujarat

ભેસલી ગામેથી એક બુટલેગરને વિદેશી દારૂના જથ્થા સાથે ભરૂચ એલ સી બી પોલીસે ઝડપી પાડયો…

ProudOfGujarat

ભરૂચ : હિન્દુ સમાજ વિરુદ્ધની ટિપ્પણી બાબતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનું કલેક્ટરશ્રીને આવેદનપત્ર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!