Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : કોરોનાથી સંક્રમિત થયેલ વધુ એક એસઆરપી જવાન પણ કોરોનાને હરાવીને સાજો થઈ જતા તેને રજા આપવામાં આવી હતી.

Share

રાજ્યના વિવિધ વિસ્તારોમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી એસ.આર.કે ના જવાનો પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. જેમાં ભરૂચ જિલ્લાનાં વાલીયા તાલુકાનાં રૂપનગર ખાતે રહેતા એસઆરપી જવાનો પૈકી ત્રણ જવાનો અમદાવાદ અને વડોદરામાં ફરજ દરમિયાન કોઈક દર્દીનાં સંપર્કમાં આવતાં તેઓ પણ સંક્રમિત થયા હતા. આ ત્રણેયને વાલિયા ખાતે આરોગ્ય તપાસ બાદ અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓની સારવાર બાદ બે એસઆરપી જવાનો સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી હતી. ત્યારે આજે વધુ એક એસઆરપી જવાન જયંતીભાઈ નટવરભાઈનાં એ પણ કોરોના વાયરસને હરાવીને તાજા થતાં તેઓને પણ આજે તાળીઓનાં ગડગડાટ સાથે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હાલ કોસમડી અને અંકલેશ્વર શ્યામ નગરનાં બે દર્દીઓ હજુ પણ સારવારમાં છે. જોકે બે થી ત્રણ દિવસ દરમિયાન જિલ્લામાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લામાં આજરોજ 14 કોરોના પોઝિટીવ કેસ આવતા કુલ સંખ્યા 1004 થઈ.

ProudOfGujarat

હાલોલ પોલીસે ઘરફોડચોરી અને બાઇક ચોરીનો ભેદ ઊકેલ્યો- ત્રણની ધરપકડ

ProudOfGujarat

અંકલેશ્વર ની સૂર્યા લાઈફ સાયન્સમા આગ થી દોડધામ મચી જવા પામી હતી. 2 જેટલા ફાયર બ્રિગેડે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો સદભાગ્યે કોઈ જાનહાની થવા પામી ન હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!