Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ શહેરમાં વધુ બે લોકો કોરોના વાયરસ સ્થિતિ સંક્રમિત થયા હોવાની વિગતો બહાર આવી છે જેમાં હાલ ભરૂચ જિલ્લામાં બહારથી આવીને સંક્રમિત થયેલા દર્દીઓની સંખ્યા ૧૯ ઉપર પહોંચી છે જ્યારે કુલ સંક્રમિત લોકોની સંખ્યા 59 ઉપર પહોંચી છે.

Share

ભરૂચ જિલ્લામાં દિનપ્રતિદિન કોરોના વાયરસથી સંક્રમિત થતાં લોકોની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. ચાર લોક ડાઉન દરમિયાન નિયંત્રણમાં રહેલા કોરોના વાયરસનાં આંકડાઓમાં છેલ્લા 15 દિવસમાં એકાએક વધારો નોંધાયો હતો. એસ.આર.પી.ના જવાનો તેમજ ભરૂચ જિલ્લાનાં બહારથી આવેલા લોકોનાં આરોગ્ય તપાસમાં કોરોના વાયરસથી સંક્રમિત થયા હોવાનું બહાર આવ્યું છે, ત્યારે આજે વધુ બે લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે જેમાં ભરૂચ શહેરનાં નંદેલાવ રોડ ઉપર આવેલ સરદાર નગર સોસાયટીમાં રહેતા યુવાનની આરોગ્ય તપાસમાં એને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો બીજી તરફ શહેરની અલંકાર રો હાઉસમાં રહેતી એક મહિલાનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જયારે ભરૂચ જિલ્લામાં હાલ ૧૯ જેટલા લોકો જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. જ્યારે જિલ્લામાં કુલ ૫૯ લોકો સંક્રમિત થયા છે.

Advertisement

Share

Related posts

करिश्मा कपूर “मेंटलहूड” में अपने शानदार प्रदर्शन के लिए बटोर रही है खूब वाहवाही!

ProudOfGujarat

ચાલ ચરિત્ર : એક શબ્દએ નવસારી પાલિકાની સભા ગજવી

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં આજરોજ 25 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1379 પર પહોંચી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!