Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ટેલિફોન ડેટા આપતી કંપની BSNL નો ખોરંભે પડેલ અણઘડ વહીવટ.

Share

ભારત સરકારની નામાંકિત ટેલિફોન ડેટા આપતી કંપની ભારત સંચાર નિગમ લિમિટેડની નબીપુર ખાતે તારીખ 20/5/2020 થી સેવાઓ ખોરંભે પડી છે જેના લીધે નબીપુરની પ્રજાને ઘણું સહન કરવું પડે છે. જેમ કે બેંક ઓફ બરોડા અને પોસ્ટ ઓફિસની સેવાઓ ખોટખાઇ જતા નબીપૂર તથા તેને લગતા આસપાસના ગામોની પ્રજાને ઘણું સહન કરવું પડે છે.

સાથોસાથ આ સેવા આપનાર અધિકારીઓ અને ગ્રાહકો વચ્ચે ઉગ્ર શાબ્દિક બોલાચાલી પણ થાય છે આ અંગેની રજૂઆત વારંવાર BSNL ની ભરૂચ ખાતે જિલ્લાકક્ષાની ઓફિસે રજૂઆત કરતા જવાબદાર અધિકારીઓ ગાંધીજીના ત્રણ પૂતળાની માફક બેહરા મૂંગા અને આંધળા બની જાય છે. સાથોસાથ નબીપૂર ટેલિફોન એકસચેન્જમાં કોઈ જવાબદાર વ્યક્તિ નથી તો ગ્રાહકો પણ ત્રાહીમામ પોકારી ગયા છે.એક તરફ ભારતનાં માનનીય વડાપ્રધાન શ્રી ભારતની જનતાને સ્વનિર્ભર બનાવવા માટે હાકલ કરે છે અને બીજી તરફ સરકારી કંપની બીએસએનએલ પોતાના ગ્રાહકોને વિદેશી નિર્ભર બનાવવા જઇ રહી છે તો આમાં BSNL ની શું મરજી છે તે લોકોને સમજાતું નથી. BSNL પોતાની લાઈનનાં ફોનનું કાયમી ધોરણે નિરાકરણ લાવે અને પ્રજાની હાડમારી દૂર થાય તેવા પ્રયત્ન કરે એવી લોકોની ઈચ્છા છે.

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાના રાજપારડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આગામી તા.27 એ ઓર્થોપેડિક કેમ્પ યોજાશે.

ProudOfGujarat

ઝઘડિયા પોલીસે એસ.એસ ના ભંગાર ભરેલો ટેમ્પો ઝડપ્યો

ProudOfGujarat

ભરૂચ : ભૂખી ખાડીનો બ્રિજ આજથી વાહનો માટે ચાર દિવસ રહેશે બંધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!