Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ શહેરનાં પાંચબત્તી વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ચીનનાં પાક કૃત્યો સામે રોષ વ્યક્ત કરી ચાઈના બનાવટનાં મોબાઈલ અને ટીવી જાહેરમાં તોડીને રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Share

હાલ તો ભારત દેશનાં લદ્દાખમાં સરહદ ઉપર ચીનનાં સૈનિકો દ્વારા હુમલો કરીને ભારતીય વીર સૈનિકોને શહીદ કરી નાખવામાં આવતા આ વાતનો રોષ સમગ્ર દેશમાં છે. ત્યારે દેશભરનાં તમામ લોકો વેપારીઓ દ્વારા હવે ચીનનાં માલનું વેચાણ નહીં કરવાનો નિર્ણય કર્યો છે.

ચીનની સાથે આર્થિક રીતે જોડાવા તેમજ તેનો સામાન, જમીન ખરીદવામાં આવે તો એની કમર તૂટી જશે જેને લઇને હાલ દેશભરમાં ચાઈના બનાવટનાં મોબાઈલ, ટીવી સહિતનાં સામાન નહીં વેચવા તેમજ તોડી નાંખવામાં આવી રહ્યા છે. ત્યારે ભરૂચ શહેરમાં પાંચબત્તી ખાતે આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ચાઇનાનાં મોબાઇલ, ચાઇનાનાં ટીવી તોડી નાંખી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

Advertisement

Share

Related posts

આજરોજ પોર વેરાઈ માતાજી ના મંદિર ના હોલ માં ખેતીવાડી ઉત્પન બજાર સમિતિનું આયોજન કરવામાં આવ્યું હતું

ProudOfGujarat

મનરેગા કૌભાંડમાં કરાર આધારિત અને આઉટસોર્સના ૨૧ કર્મચારીઓને છુટા કરાયા 

ProudOfGujarat

ડેડીયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે નવસારી કૃષિ યુનિવર્સીટીની ૧૫ મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!