Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિનાં અગ્રણી,ખેડુત અને સહકારી આગેવાન અંબુભાઈ પટેલનાં નિધન અંગે અહમદભાઈ પટેલે શોક વ્યક્ત કર્યો.

Share

ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાન અંબુભાઈ પટેલ નિધન અંગે રાજ્યસભા સાંસદ અને ઓલ ઈન્ડીયા કોંગ્રેસ સમિતિનાં કોષાધ્યક્ષ અહમદભાઈ પટેલે શોકની લાગણી વ્યક્ત કરી હતી. રાજ્યસભા સાંસદ અહમદભાઈ પટેલે અંબુભાઈ પટેલના મૃત્યુ અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ સારા ખેડુત આગેવાન હતા અને ખેડુતોના પ્રશ્નોને માટે હંમેશા અવાજ ઉઠાવ્યો હતો. તેઓ એક સનિષ્ઠ અને નિખાલસ સ્વભાવના આગેવાન હતા. તેમના નિધનથી ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના એક એવા આગેવાનની ખોટ પડી છે કે જે કદાચ પૂરી નહીં શકાય. અહેમદભાઈ પટેલ અંબુભાઈ પટેલની માંદગી દરમ્યાન તેમના પરીવારજનો સાથે સતત સંપર્કમાં હતા. તેમણે અંબુભાઈ પટેલના નિધન થતા તેમના પરિવારજનોને સાથે ટેલીફોનીક વાત કરી સાંત્વના આપી હતી અને આ દુઃખની ક્ષણોમાં પોતે એમની સાથે હોવાનું જણાવ્યું હતું.

Advertisement

Share

Related posts

ગોધરામાં શુક્રવારથી રવિવાર સુધી રહેશે સ્વૈચ્છિક લોકડાઉન : તંત્ર, વેપારીઓ, રાજકીય અગ્રણીઓની મિટીંગમાં લેવાયો નિર્ણય.

ProudOfGujarat

SOU ખાતે દેશના રાજ્યોના રમત-ગમત અને યુવા બાબતોના મંત્રીઓની પ્રથમ ‘રાષ્ટ્રીય પરિષદ’ મા સહભાગી થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ.

ProudOfGujarat

નબીપુર કન્યાશાળાની ધો. 2 માં અભ્યાસ કરતી છાત્રાએ નિપુણ ભારત સ્પર્ધામાં તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!