Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ જીલ્લામાં કોરોના પોઝીટીવનાં 27 દર્દીઓ આવતા કુલ આંકડો 708 થયો.

Share

ભરૂચ જીલ્લામાં સતત કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા વધી રહી છે. તા.22-7-2020 નાં રોજ ભરૂચ જીલ્લામાં કોરોનાનાં 27 પોઝીટીવ કેસો નોંધાયા હતા. જેથી આંકડો 708 સુધી પહોંચી ગયો હતો. આજના આ આંકડામાં સૌથી વધુ અંકલેશ્વર તાલુકામાં 16, ભરૂચમાં 6, આમોદમાં 2, જંબુસરમાં 1, ઝઘડિયામાં 1, વાગરામાં 1 પોઝીટીવ દર્દીઓ આવ્યા હતા. તે સાથે મોતની સંખ્યામાં એક દર્દીનુ મોત નીપજયું હતું જેથી અત્યારસુધી ભરૂચ જીલ્લામાં કોરોનાને પગલે 16 દર્દીનુ મોત નીપજયાં હોવાનું તંત્રએ જણાવ્યુ હતું. તે સાથે આજે 27 દર્દીઓ સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હાલ 244 દર્દીઓ સારવાર હેઠળ છે.

Advertisement

Share

Related posts

સુરત : નિબંધલેખન સ્પર્ધામાં ઓલપાડની અસ્નાબાદ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની માનસી વિજયભાઈ રાવળીયાની લિખિત નિબંધની રાજ્યકક્ષાએ પસંદગી.

ProudOfGujarat

અદાણી સીએનજીના ભાવમાં વધારો, વાહન ચાલકો પર ફરી મોંઘવારીનો માર

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં કોરોના બાદ મ્યુકરમાઇકોસીસનાં કેસમાં જંગી વધારો : તંત્ર સતર્ક.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!